મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ


SHARE











મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાનને માર મારનાર બે શખ્સની ધરપકડ

મોરબીના નવલખી રોડ ઉપર આવેલી યમુનાનગર વિસ્તારમાં રહેતા યુવાનને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને લાકડી વડે બે શખ્સોએ માર માર્યો હતો. અને ફોન ઉપર ધમકી પણ આપી હતી જેથી યુવાને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર શેરી નં-2 માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે માવજીભાઈ પરબતભાઈ ડાંગર જાતે આહિર (40) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાગર ચાવડા અને રાજદીપ મિયાત્રા રહે. બંને યમુનાનગર મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કેબંને આરોપીઓએ તેમની પાસે આવીને “તું અમારી પોલીસને બાતમી આપે છે” તેવું કહીને તેને લાકડી વડે હાથે અને પગે માર માર્યો હતો જેથી ફરિયાદીને ફેક્ચર જેવી ઈજા થઈ હતી અને ફરિયાદીને ફોન કરીને ધમકી પણ આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સાગર ધીરૂભાઈ ચાવડા જાતે આહિર (28) અને રાજદીપ ઉર્ફે છોટીયો જશાભાઈ મિયાત્રા જાતે આહીર (23) રહે. બંને હાલ યમુનાનગર મોરબી વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News