સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે કાર ઓવરટેક કર્યા બાદ ઝઘડો કરી છરી વડે હુમલો: બે સામે ફરિયાદ


SHARE











મોરબીના રવાપર ગામે કાર ઓવરટેક કર્યા બાદ ઝઘડો કરી છરી વડે હુમલો: બે સામે ફરિયાદ

મોરબીના રવાપર ગામે રહેતા યુવાનની કારનો ઓવરટેક કરવામાં આવ્યો હતો અને બાદમાં આગળ જઈને યુવાન કારમાંથી બહાર નીકળ્યો ત્યારે ત્યાં બે ઇસમો આવીને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છરી વડે બંને પગના સાથળના ભાગે હુમલો કર્યો હતો જેથી ઇજા પામેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને તેને બે ઇસમો સામે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર ગામે ઘુનડા રોડ ઉપર આવેલ ક્રિષ્ના સ્કૂલની સામે મારુતિ એપાર્ટમેન્ટમાં રહેતો દર્શિત ચંદ્રેશભાઇ ઓગણજા જાતે પટેલ (૨૧) નામનો યુવાન કાર લઈને જતો હતો ત્યારે તેની કારને ઓવરટેક કરવામાં આવી હતી અને કાર લઈને તે જ્યારે ઘુનડા રોડ ઉપર આવેલ વૈદેહી પ્લાઝા નજીક પહોંચ્યો ત્યારે તે કારની બહાર ઉતરતાની સાથે જ ત્યાં પાછળથી આવેલા આશિષ હેમંતભાઈ આદ્રોજા જાતે પટેલ તથા તેની સાથેના એક ઈસમ દ્વારા ઝઘડો કરવામાં આવ્યો હતો અને ગાડી સાથે ગાડી કેમ અથડાવી છે. ? તેમ કહીને બોલાચાલી ઝઘડો કરી વૈદેહી પ્લાઝા નજીક અજાણ્યા ઇસમે ઢીકાપાટુ મારીને ગાળો આપી હતી જ્યારે આશિષ હેમંતભાઈ આદ્રોજા નામના શખ્સે તેની પાસે રહેલ છરી વડે દર્શિતને બંને પગના સાથળે ઇજા કરી હતી. જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને ત્યાર બાદ તેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીઓને પકડવા તજવીજ શરૂ કરી છે અને આ બનાવની તપાસ જયપાલસિંહ ઝાલા ચલાવી રહ્યા છે.

ઝેરી જનાવર કરી જતા ત્રણ લોકો સારવારમાં

મોરબીના રાજપર ગામે રહી મજૂરી કામ કરતાં પરિવારની સંગીતાબેન સોહનભાઈ ભુરીયા નામની ૨૪ વર્ષીય મહિલાને મોડી રાત્રીના અઢી વાગ્યાના અરસામાં ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જે બનાવની તાલુકા પોલીસને જાણ કરી હતી. અને આગળની તપાસ સબળસિંહ સોલંકી કરી રહ્યા છે. તે રીતે જ મોરબીના આમરણ પાસે આવેલ ફાટસર ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારના અજીનાબેન આશિષભાઈ માવી ઉમર ૨૨ અને રીંકલ આશિષભાઈ માવી ઉંમર એક વર્ષ ને વીંછી કરડી જતા બંનેને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા બનાવા અંગે જાણ થતા તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા નોંધ કરી તપાસ કરવામાં આવી હતી






Latest News