ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ


SHARE











વાંકાનેર નજીક હત્યા કરાયેલ અજાણ્યા પુરુષની ઓળખ મેળવવા તજવીજ

વાંકાનેર તાલુકાના જામસર ગામ નજીક લક્ષ્મણભાઈ રૂપાભાઈના ઘર પાસેના ખેતરમાંથી તા 24/6 ના રોજ સાંજે 17:35 કલાકે એક અજાણ્યા પુરૂષની હત્યા કરેલ હાલતમાં લાશ મળી હતી. જેથી કરીને પોલીસે હત્યાનો ગુનો નોંધીને બે આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે જો કે, મૃતક વ્યક્તિની ઓળખ હજુ સુધી મળી આવેલ નથી જેથી આશરે 35 થી 40 વર્ષના અજાણ્યા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

જે યુવાનની હત્યા કરવામાં આવેલ છે તેને વાદળી રંગની વેસ્ટ અને ઘૂંટણની લંબાઈનો પાયજામા પહેર્યો છે. આ માણસના જમણા કાંડા પર 'MAA' અને 'B' અને 'JAGNYA' લખેલું છે. અને પોલીસ તપાસ અને અન્ય મળતી માહિતી અનુસાર વ્યક્તિ હાલ થોડા સમય અગાઉ જ ઓરિસ્સાના જરસુગુડા રેલ્વે સ્ટેશનથી રાજકોટ રેલ્વે સ્ટેશન અને ત્યાંથી વાંકાનેર આવેલ હતો. અને મૃતક પુરૂષના વાલીની આજદિન સુધી ઓળખ થઈ નથી, તેથી જો કોઈ વ્યકિત ઓળખતા હોય અથવા કોઈ માહિતી હોય, તો તેની માહિતી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનને આપવા અપીલ કરેલ છે અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 02828 220665, મોબાઈલ નંબર 76219 58156  અથવા જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમના નંબર 02822 243478 ઉપર સંપર્ક કરવા ડીવાયએસપી એસ.એચ. સારડાએ જણાવ્યુ છે.






Latest News