તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

તંત્રની પ્રિ મોનસુન કામગીરીનો છેદ ઉડાવતા મેઘરાજા: મોરબીના અનેક વિસ્તારો બે ઇંચ વરસાદમાં બેટ !, લોકો હેરાન


SHARE











મોરબી શહેરી વિસ્તારમાં આજે 11:00 વાગ્યાથી મેઘરાજાએ બેટિંગ શરૂ કર્યું હતું અને એક કલાકમાં મન મૂકીને મોરબી ઉપર હેત વસાવતા બે ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો અને પાલિકા તંત્ર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીની જે વાતો કરવામાં આવતી હતી તેની પોલ ખોલી નાખી હતી અને મોરબીના એક નહીં પરંતુ અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ ગયા હતા જેથી કરીને વાહન ચાલકો, રાહદારીઓ અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો 

સમગ્ર ગુજરાતની અંદર વિધિવત રીતે ચોમાસુ શરૂ થઈ ગયુ છે. અને ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જો વાત કરીએ તો આજે સવારે 11:00 વાગ્યાથી મોરબી શહેરી વિસ્તારની અંદર મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી અને 11 થી 12 અંદાજે એક કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે તેવી માહિતી પાલિકામાંથી જાણવા મળી છે. અને પ્રથમ બે ઇંચ જેટલા વરસાદમાં જ મોરબી શહેરના સનાળા રોડ, લાતી પ્લોટ, મહેન્દ્ર પરા, માધાપરા, ઋષિકેશ વિદ્યાલય સહિતના જુદા જુદા વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ જવાથી રાહદારીઓ, વાહન ચાલકો અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઋષિકેશ વિદ્યાલય પાસે વેપારીઓની દુકાનમાં તેમજ લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા હોય જો વધુ વરસાદ થશે તો શું થશે તેની ચિંતા અત્યારથી જ લોકોને સતાવી રહી છે. મોરબીના અનેક વિસ્તારોમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે તેમ છતાં પણ તેનો કાયમી નિકાલ આજ સુધી પાલિકા તંત્ર લાગ્યું નથી જેના કારણે આ ચોમાસામાં પણ લોકોને હેરાન થવું પડશે તેમાં શંકા ને કોઈ સ્થાન નથી.






Latest News