ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના નાગલપર ગામે પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેરના નાગલપર ગામે પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપતા યુવાને કર્યો આપઘાત

વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં રહેતા યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને લાગી આવતાં તે યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના નાગલપર ગામની સીમમાં રહેતા સાગરભાઇ મૈયાભાઇ ગુંદારીયા (25) નામના યુવાને વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તે યુવાનના મૃતદેહને તેના પિતા મૈયાભાઈ વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ કરતા હેડ કોસ્ટેબલ જે.જી. ઝાલા કરી રહ્યા છે જેથી તેની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનને તેના પિતાએ ખેતી કામ બાબતે ઠપકો આપ્યો હતો જે બાબતે તેને લાગી આવતા તેણે વાડીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ખારચિયા ગામે રહેતા દિવ્યરાજસિંહ પરાક્રમસિંહ જાડેજા (24) નામનો યુવાન બાઇક લઈને હજનાળીથી ખારચિયા ગામ વચ્ચેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો અને તેમાં તેને ઈજા થવાથી તે યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે

બાઇક સ્લીપ

મોરબીના પંચાસસ રોડ ઉપર રહેતા બેચરદાસ વશરામભાઈ કંજારીયા (60) નામના વૃદ્ધ મોરબીના ચાચાપર ગામ પાસેથી બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણસર બાઇક સ્લીપ થતાં તેઓને ઈજા થઈ હતી અને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં તેને લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા કરી રહ્યા છે






Latest News