તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે


SHARE











મોરબી જિલ્લામાં ૨૧ હજારથી વધુ બાળકો શાળા પ્રવેશ કરશે

મોરબી જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ અન્વયે જિલ્લાની ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં કાર્યક્રમોનું આયોજન કરી આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ મળી કુલ ૨૧,૬૩૮ બાળકો શિક્ષણના એક નવા અધ્યાયમાં પા પા પગલીઓ પાડશે. જ્યારે ધોરણ ૯ માં ૬૪૩૩ બાળકો પ્રવેશ મેળવશે.

સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ - ૨૦૨૪ ની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓ એટલે કે ૫૮૫ પ્રાથમિક શાળાઓમાં આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે, ઉપરાંત આંગણવાડીના બાળકોનો પ્રવેશોત્સવ પણ જે તે સંબંધિત શાળાઓમાં કરવામાં આવશે. જેમાં ૪૩૮૬ બાળકો આંગણવાડી, ૮૯૩૯ બાળકો બાલવાટિકાઅને ૮૩૧૩ બાળકો ધોરણ ૧ માં પ્રવેશ મેળવશે.

૧૦૦% નામાંકન માટે દર વર્ષે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાય છે. જેમાં રાજ્યના પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ દ્વારા રાજ્યની તમામ શાળાઓની મુલાકાત ત્રણ દિવસ સુધી લેવામાં આવે છે. જે અન્વયે આ વર્ષે ૨૬, ૨૭ અને ૨૮ જૂન દરમિયન સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ સંદર્ભે કાર્યક્રમો યોજાનાર છે. આ કાર્યક્રમના ફળસ્વરૂપે શાળાઓમાં ૧૦૦% નામાંકન સિદ્ધિ પ્રાપ્ત થઇ શકી છે. ડ્રોપ આઉટ રેટમાં ઘટાડો થયો છે અને શાળામાં સ્થાયીકરણનું પ્રમાણ વધ્યું છે.






Latest News