વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઘરમાં ઘૂસીને દંપતી ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ચાર મહિલા સહિત નવ આરોપીની ધરપકડ


SHARE











વાંકાનેરમાં ઘરમાં ઘૂસીને દંપતી ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં ચાર મહિલા સહિત નવ આરોપીની ધરપકડ

વાંકાનેર શહેરના આંબેડકરનગર વિસ્તારમાં રહેતા યુવાનને તે વિસ્તારમાં રહેતા શખ્સની સાથે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને છ થી વધુ શખ્સો તે યુવાનના ઘરે પાઇપધોકા અને છરી જેવા હથિયાર લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનના માતા-પિતાને હુમલો કરીને માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલા આધેડે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાની કોશિશરાયોટિંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે ચાર મહિલા સહિત કુલ મળીને નવ આરોપીઓને પકડીને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે

વાંકાનેરમાં રમણીકભાઈની વાડી વિસ્તાર કુંભારપરામાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે કૌશિકભાઈ ધીરુભાઈ રાઠોડકુલદીપભાઈ કાળુભાઈ રાઠોડટીપુભાઈ કાળુભાઈ રાઠોડ રહે. બધા આંબેડકરનગર વાંકાનેર તથા તેની સાથે આવેલા અજાણ્યા માણસોની સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, ફરિયાદીના દીકરા પ્રભાતભાઈ અને આરોપીના સંબંધી જીવણભાઈ વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આરોપીઓ પાઇપધોકા અને છરી જેવા હથિયાર લઈને ફરિયાદીના ઘરે આવ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરીને ફરિયાદી તથા સાહેદ નયનાબેનને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને જીવલેણ હુમલો કર્યો હતો

ત્યારે આરોપી કૌશિકભાઇએ લોખંડના પાઈપથી ફરિયાદી અને નયનાબેનને માથાના ભાગે માર મારીને ગંભીર જીવલેણ ઇજા કરી હતી અને બાકીના આરોપીઓએ ફરિયાદી તથા સાહેદને લાકડી વડે શરીરે આડેધડ માર માર્યો હતો જેથી ફરિયાદીને બંને હાથમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજા થઈ હતી અને ફરિયાદી તથા સાહેદને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને છૂટા પથ્થરના ઘા મારી ઇજાઓ કરી હતી જેથી ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાની કોશિશરાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

હાલમાં વાંકાનેર સીટી પોલીસ દ્વારા આ ગુનામાં આરોપી રોહિત દેવાભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ (25), સંદીપ ઉર્ફે ટીપુ દેવાભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ (25), સોમાભાઈ હરિભાઈ રાઠોડ (54), કુલદીપભાઈ દેવાભાઈ ઉર્ફે કાળુભાઈ રાઠોડ (23), કુંવરબેન ધીરુભાઈ રાઠોડ (58), લીલાબેન કેશાભાઈ રાઠોડ (60) રહે. બધા આંબેડકરનગર તેમજ રાહુલ ઓઢાભાઈ વાઘેલા (29), હીરાબેન ઓઢાભાઈ વાઘેલા (40) અને સેજલ ધવલભાઈ વાઘેલા (24) રહે. ત્રણે રોયલ પાર્ક વાંકાનેર વાળાની ધરપકડ કરેલ છે અને આ આરોપીઓને કોર્ટ સમક્ષ રજુ કરીને જેલ હવાલે કરવામાં આવ્યા હોવાની માહિતી પોલીસ પાસેથી જાણવા મળે છે






Latest News