મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો


SHARE







હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેના જમાઈ સહિત કુલ મળીને 6 સામે દીકરીને ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરીને મારવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હતા જેથી તેની પતિ મનોજભાઈ વાલજીભાઈ પરમારે ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે ત્યાર બાદ તે મહિલાની શનિવારે નર્મદાની કેનાલમાંથી લાશ મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો.

જે બનાવવા મૃતક મહિલાના પિતા જયંતીભાઈ કાળુભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (50) રહે. રાવળીયાવદર તાલુકો ધાંગધ્રા વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલજીભાઈ અરજણભાઈ પરમાર, મનોજભાઈ વાલજીભાઈ પરમાર, કેશાભાઈ વાલજીભાઈ પરમાર, વાલીબેન વાલજીભાઈ પરમાર, હંસાબેન વાલજીભાઈ પરમાર અને રાજુભાઈ કરસનભાઈ પરમાર રહે. બધા આંબેડકર નગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં મૃતકના પિતાએ જણાવ્યું છે કે તેમની દીકરી મંજુલાબેન (26) ઉપર આરોપીઓએ ચરિત્ર બાબતે ખોટો શંકા વહેમ રાખીને મેણાટોણાં મારી ખોટી ચડામણી કરી હતી અને ફરિયાદીના જમાઈ મનોજભાઈ પરમારે તેની દીકરી સાથે મારજુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો અને અસહ્ય ત્રાસ આપીને તેની દીકરીને મરવા મજબૂર કરી હતી જેથી હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 306, 498 (એ), 323, 114 (બી.એન.એસ. કલમ 108, 85, 115 (2)મ 54 )  મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News