વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો


SHARE











હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેના જમાઈ સહિત કુલ મળીને 6 સામે દીકરીને ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરીને મારવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હતા જેથી તેની પતિ મનોજભાઈ વાલજીભાઈ પરમારે ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે ત્યાર બાદ તે મહિલાની શનિવારે નર્મદાની કેનાલમાંથી લાશ મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો.

જે બનાવવા મૃતક મહિલાના પિતા જયંતીભાઈ કાળુભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (50) રહે. રાવળીયાવદર તાલુકો ધાંગધ્રા વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલજીભાઈ અરજણભાઈ પરમાર, મનોજભાઈ વાલજીભાઈ પરમાર, કેશાભાઈ વાલજીભાઈ પરમાર, વાલીબેન વાલજીભાઈ પરમાર, હંસાબેન વાલજીભાઈ પરમાર અને રાજુભાઈ કરસનભાઈ પરમાર રહે. બધા આંબેડકર નગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં મૃતકના પિતાએ જણાવ્યું છે કે તેમની દીકરી મંજુલાબેન (26) ઉપર આરોપીઓએ ચરિત્ર બાબતે ખોટો શંકા વહેમ રાખીને મેણાટોણાં મારી ખોટી ચડામણી કરી હતી અને ફરિયાદીના જમાઈ મનોજભાઈ પરમારે તેની દીકરી સાથે મારજુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો અને અસહ્ય ત્રાસ આપીને તેની દીકરીને મરવા મજબૂર કરી હતી જેથી હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 306, 498 (એ), 323, 114 (બી.એન.એસ. કલમ 108, 85, 115 (2)મ 54 )  મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News