ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો


SHARE











હળવદમાં મહિલાએ કેનાલમાં પડીને કરેલા આપઘાતના બનાવમાં પતિ સહિત 6 સામે મરવા મજબૂર કરી હોવાનો ગુનો નોંધાયો

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતી મહિલા ઘરે કોઈને કશું કહ્યા વગર નીકળી ગયેલ હતી જેની શોધખોળ કરવા છતાં કોઈ જગ્યાએથી તેનો પતો લાગ્યો ન હતી જેથી ગુમ થયેલ મહિલાના પતિએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવેલ હતી તેવામાં મહિલાની નર્મદની કેનાલમાંથી લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક મહિલાના પિતાએ તેના જમાઈ સહિત કુલ મળીને 6 સામે દીકરીને ચારિત્ર્યની શંકા કરીને મારકૂટ કરીને મારવા મજબૂર કરી હોવાની ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.

હળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર-1 માં રહેતા મંજુલાબેન મનોજભાઈ પરમાર (26) ગુમ થયા હતા જેથી તેની પતિ મનોજભાઈ વાલજીભાઈ પરમારે ગુમસુધા ફરિયાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું છે કે, ગત તા. 20/6 ના રોજ બપોરે 12.15 વાગ્યાના અરસામાં તેઓના પત્ની ઘરે કોઈને કશું કહ્યા વગર ચાલ્યા ગયેલ છે ત્યાર બાદ તે મહિલાની શનિવારે નર્મદાની કેનાલમાંથી લાશ મળી આવી છે જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ હતો.

જે બનાવવા મૃતક મહિલાના પિતા જયંતીભાઈ કાળુભાઈ રાઠોડ જાતે અનુ. જાતિ (50) રહે. રાવળીયાવદર તાલુકો ધાંગધ્રા વાળાએ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વાલજીભાઈ અરજણભાઈ પરમાર, મનોજભાઈ વાલજીભાઈ પરમાર, કેશાભાઈ વાલજીભાઈ પરમાર, વાલીબેન વાલજીભાઈ પરમાર, હંસાબેન વાલજીભાઈ પરમાર અને રાજુભાઈ કરસનભાઈ પરમાર રહે. બધા આંબેડકર નગર હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે.

જેમાં મૃતકના પિતાએ જણાવ્યું છે કે તેમની દીકરી મંજુલાબેન (26) ઉપર આરોપીઓએ ચરિત્ર બાબતે ખોટો શંકા વહેમ રાખીને મેણાટોણાં મારી ખોટી ચડામણી કરી હતી અને ફરિયાદીના જમાઈ મનોજભાઈ પરમારે તેની દીકરી સાથે મારજુડ કરી શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો અને અસહ્ય ત્રાસ આપીને તેની દીકરીને મરવા મજબૂર કરી હતી જેથી હાલમાં મૃતક મહિલાના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ 306, 498 (એ), 323, 114 (બી.એન.એસ. કલમ 108, 85, 115 (2)મ 54 )  મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News