મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો


SHARE







વાંકાનેરના ઢુવા માટેલ રોડે કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળ્યો

વાંકાનેર તાલુકાના ઢુવા માટેલ રોડ ઉપર કારખાના પાસે ખુલ્લી જગ્યામાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ ગયા હતા અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તેના વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામની સીમમાં આવેલ સેન્ચ્યુરો સીરામીક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા દિપકસિંહ ઓમપ્રકાશ ઠાકુર (34) નામના યુવાનનો ઢુવા-માટેલ રોડ ઉપર રામોજી સિરામિક કારખાના પાસેની ખુલ્લી જગ્યામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર લઈને આવ્યા હતા અને આ બનાવની રાજુભાઈ દેવસિંગભાઈ આંજના જાતે પટેલ (32) રહે.હાલ નવા ઢુવા તાલુકો વાંકાનેર મૂળ રહે. મધ્યપ્રદેશ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની તપાસ કરી રહેલા જે.જી.ઝાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, મૃતક યુવાનના મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે.

રવાપર ગામ નજીક મારામારીમાં ચારને ઈજા

મોરબીના રવાપર ગામ પાસે આવેલ કેનાલ રોડ પાસે મારામારીનો બનાવ બન્યો હતો.જે બનાવમાં અર્જુનભાઇ કાશીરામ ઠાકુર નેપાળી (૪૫), પ્રકાશ માનબહાદુર (૨૮), પદમાબેન અર્જુનભાઈ ઠાકુર (૩૫) અને રાજકુમાર અર્જુનભાઈ ઠાકુર (૧૯) રહે. બધા રવાપર કેનાલ રોડ પાસે વાળાઓને રહેણાંક વિસ્તાર નજીક મારામારીના બનાવમાં ઇજા પામેલ હાલતમાં અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાં ચારેયની સારવાર કરવામાં આવી હતી અને બાદમાં હોસ્પિટલ તરફથી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે જાણ કરવામાં આવતા સ્ટાફના હરેશભાઈ ચાવડાએ બનાવ અંગે નોંધ કરીને આગળની પ્રાથમિક તપાસ કરી હતી.
 
વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે પર આવેલ જૂની કુબેર ટોકીઝના પાછળના ભાગે ધાર વિસ્તારમાં રહેતા પરીવારના રોહિત ભરતભાઈ વઢીયારા નામના ૧૬ વર્ષના સગીરને ઇજાગ્રસ્ત હાલતમાં શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યાં તેની સારવાર કરવામાં આવ્યા બાદ સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરવામા આવી હતી.જેથી સ્ટાફના જગદીશભાઈ ડાંગરે આ બાબતે તપાસ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે ગત તા.૧૮-૬ ના સવારના નવેક વાગ્યાના અરસામાં ઇજાગ્રસ્ત રોહિતભાઈ વઢીયારાનો મોટો ભાઈ રીક્ષાને વણાંકમાં ટર્ન લેતો હતો ત્યારે ભૂલથી લોખંડની એંગલ રોહીતને જમણા પડખાના ભાગે લાગી જતા ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે લાવવામાં આવ્યો હતો.





Latest News