મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !


SHARE







મોરબીના રવાપર રોડે ઉમિયાનગર-વીસીપરામાં લોકોને પાણી માટે વલખાં !

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગર અને વીસીપરા વિસ્તારની અંદર છેલ્લા ઘણા સમયથી પાણીના ધાંધીયા છે અને આ બાબતે ઉમિયાનગર વિસ્તારના લોકોએ ગ્રામ પંચાયતમાં તેમજ વીસીપરાના લોકોએ નગરપાલિકામાં એક નહીં પરંતુ અનેક વખત નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી આપવા માટે રજૂઆતો કરી છે તેમ છતાં પણ લેખિત અને મોખિત રજૂઆતોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી લોકોને પીવાના પાણી માટે થઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે આ બંને વિસ્તારમાંથી મહિલાઓ સહિતના લોકો મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને મોરબીના રવાપર પાસે આવેલ ઉમિયાનગર તથા મોરબીના વીસીપરામાં નિયમિત રીતે અને પૂરતા પ્રમાણમાં લોકોને પીવાનું અને ઘરવપરાસનું પાણી પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ત્યારે ખાસ કરીને વીસીપરા વિસ્તારની અંદર પાણીના ટેન્કર હાલમાં ચાલી રહ્યા છે તેમાં વધુ પ્રમાણમાં પાણીના ટેન્કરો દોડવામાં આવશે તેવી કલેકટર દ્વારા ખાતરી આપવામાં આવી હતી તેમજ રવાપર રોડ ઉપર આવેલ ઉમિયાનગરમાં પાણીનો પ્રશ્ન છે તે ઉકેલાઈ જાય અને લોકોને સમયસર પાણી મળે તેના માટે ત્યાં જરૂરી ઘટતી કાર્યવાહી કરવા માટે થઈને પાણી પુરવઠા વિભાગ અને પંચાયતને કહેવામાં આવશે તેવું અધિકારીએ કહ્યું હતું જોકે, આ બંને વિસ્તારમાં પાણીનો પ્રશ્ન ક્યારે ઉકેલાશે તે તો આગામી સમય જ બતાવશે






Latest News