ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ


SHARE











વાંકાનેરના લાકડધાર ગામેથી ગુમ થયેલા વૃદ્ધનો કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: તપાસ શરૂ

વાંકાનેરના લાકડધાર ગામમાંથી ચાર દિવસ પહેલા બાઇક લઇને ગયેલા વૃદ્ધ ઘરે પાછા આવેલ ન હતા જેથી કરીને તે વૃદ્ધને શોધવામાં આવી રહ્યા હતા તેવામાં વૃદ્ધનો વિઠ્ઠલપર ગામના તળાવ પાસેથી કોહવાઈ ગયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અને જેથી કરીને વૃદ્ધના બોડીને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને હાલમાં વીસેરા લઈને આગળની તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી વિગતો વાંકાનેર તાલુકાના લાકડધાર ગામે રહેતા હીરાભાઈ ધનાભાઈ અણિયારીયા જાતે કોળી (૫૮) ની કોહવાઈ ગયેલ હાલતમાં વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ જીએસઈસીએલ પાવર પ્લાન્ટ પાસે તળાવમાંથી ડેડબોડી મળી આવી હતી જેથી કરીને ત્યાંથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની મૃતકના પરિવારજને વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની વધુ તપાસ વાંકાનેરના જે.જી ઝાલા ચલાવી રહ્યા હોય તેની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, લાકડધાર ગામના હીરાભાઇ ધનાભાઇ અણીયારીયા ગત તા. ૩૦ ના રોજ ઘરેથી બાઇક લઈને બહાર ગયા હતા અને મોડી રાત સુધી પરત આવ્યા ન હતા જેથી તેની શોધખોળ પરિવાર દ્વારા કરવામાં આવી રહી હતી અને દરમિયાન વિઠ્ઠલપર ગામની સીમ લાકડધાર રોડ ઉપર આવેલ તળાવમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં તેની ડેડબોડી મળી આવી હતી અને જાનવર દ્વારા તેની બોડીને ફાડી ખાવામાં આવી હોવાથી હીરાભાઇના બોડીને ફોરેનસિકમાં લઈ જવામાં આવેલ છે અને તેના વીસેરા લેવામાં આવેલ છે તેવી માહિતી પોલીસ પાસેથી જાણવા મળેલ છે






Latest News