મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકા સોસાયટીમાં પાલિકાએ બંધ કરાવેલ કામનો બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને રજૂઆત !


SHARE











મોરબીના રવાપર રોડે વ્રજ વાટીકા સોસાયટીમાં પાલિકાએ બંધ કરાવેલ કામનો બાંધકામનો ખાડા બુરવા કલેક્ટરને રજૂઆત !

મોરબીના રવાપર રોડ ઉપર વ્રજ વાટીકા સોસાયટી આવેલ છે તેના રહેણાકના પ્લોટ ઉપર કોમર્શિયલ બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કામને તો ઘણા સમય પહેલા બંધ કરાવવામાં આવ્યું છે જો કે, આજની તારીખે પણ બિલ્ડરો દ્વારા ખોદવામાં આવેલ ખાડો બુરવામાં આવેલ નથી જેથી કરીને ચોમાસામાં કોઈ દુર્ઘટના ન બને તે માટે સ્થાનિક લોકોએ હાલમાં બાંધકામ માટે ખોદવામાં આવેલા ખાડાનું બુરાણ કરવા માટે કલેક્ટરને રજૂઆત કરી છે

મોરબીના રવાપર રોડે આવેલ વ્રજ વાટીકા સોસાયટીમાં રહેતા પ્રવિણભાઈ દાવાના નામથી મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, જ વાટીકા સોસાયટીમાં નકશામાં ચેડાં કરીને ગેરકાયદે રીતે કોમર્શિયલ બિલ્ડિંગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જેનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો જેથી કરીને ગત તા ૭ ડિસેમ્બર ના રોજ પાલિકા દ્વારા આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવેલ છે જો કે, બિલ્ડરો દ્વારા જે ખાડો બાંધકામ માટે ખોદવામાં આવ્યો હતો તેને હજુ સુધી બુરવામાં આવેલ નથી જેથી કરીને હાલમાં આ મુદાને લઈને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે અને અગાઉ મોરબીમાં તેમજ તાજેતરમાં રાજકોટમાં બનેલ દુર્ઘટના જેવી કોઈ દુર્ઘટના આ ખાડાના લીધે સર્જાય તેની તંત્ર રાહ જોવે છે કે શું તેવો સવાલ પણ કરેલ છે અને ચોમાસામાં કોઈ પણ દુર્ઘટના આ ખાડાના લીધે થશે તો તેની જવાબદારી તંત્ર વાહકોની રહેશે તેવું પણ સ્થાનિક લોકોએ કહ્યું છે






Latest News