મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE







મોરબીના જૂની પીપળી ગામે પથરીની બીમારીથી કંટાળીને આધેડ મહિલાએ અણધાર્યું પગલું ભર્યું

મોરબી તાલુકાના જૂની પીપળી ગામે રહેતા આધેડ મહિલાએ પથરીની બીમારીથી કંટાળીને પોતે પોતાના ઘરની અંદર હતા ત્યારે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતિ મુજબ મોરબીના જૂની પીપળી ગામે રહેતા કૈલાસબેન વલ્લભભાઈ જેઠલોજા જાતે પટેલ (૫૨) ને પથરીની બીમારી હોય તેનું ઓપરેશન કરાવેલ હતું જે પથરીની બીમારીથી કંટાળીને તેણે પોતે પોતાની જાતે પોતાના ઘરે હતા ત્યારે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાસુદેવભાઈ મહાદેવભાઈ જેઠલોજા જાતે પટેલ (૪૩) રહે. જૂની પીપળી ગામ વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની છે

અકસ્માતમાં ઇજા

ડીસાના રહેવાસી કુલદીપસિંહ દેવીસિંહ ઈસરાણી (૩૫) અને તેના દીકરા વિવાનરાજ કુલદીપસિંહ ઇસરાણી (૮) બંને કારમાં ડીસાથી મોરબી જતા હતા ત્યારે રસ્તામાં ગણોદર અને સામખયારી વચ્ચે માળિયા મીયાણા નજીક કાર પલટી ગઈ હતી જેથી કરીને અકસ્માતના બનાવમાં પિતા પુત્રને ઇજા થયેલ હોય ઇજા પામેલ હાલતમાં તેઓને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપ્યો બાદ આ બનાવની પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે અને આ બનાવ કચ્છ વિસ્તારમાં બનેલો હોવાથી ત્યાં સ્થાનિક પોલીસને આ બનાવની જાણ કરવા માટે તજવીજ કરી છે

મારા મારીમાં ઇજા

મોરબીના પાડાપુલ નીચેના ભાગમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં રાકેશ કાળુભાઈ ડામોર (૨૩) નામના યુવાનને ઇજાઓ થયેલ હતી જેથી તેને ઇજા પામેલ હાલતમાં સારવાર માટે મોરબી ખાતે લઈને આવ્યા હતા ત્યા સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરાતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક કપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવી હતી






Latest News