મોરબીમાં નજીવી બાબતે ધોકા વડે ૧૦ શખ્સોએ મહિલા સહિત બે વ્યક્તિને માર માર્યો
મોરબીમાં સ્વજન પ્રથમ પુણ્યતિથિએ કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
SHARE








મોરબીમાં સ્વજન પ્રથમ પુણ્યતિથિએ કુંડારિયા-ભાટિયા પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન
મોરબીના લોકો સતત કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિઓ લોકોપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે, અને માનવજીવનને સફળ બનાવવાનો પ્રયત્ન કરતા હોય છે. મોરબીમાં કથા હોય,કોઈનો જન્મ દિવસ હોય, કોઈ વ્યક્તિની પુણ્યતિથિ હોય ત્યારે રક્તદાન કરતા હોય છે ત્યારે મોરબીમાં સ્વજનની સ્મૃતિમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે
મોરબીમાં સ્વ. સંગીતાબેન દિવ્યકાંત ભાટિયાનું દુઃખદ અવસાન થતાં એમના આત્માની શાંતિ અને કલ્યાણાર્થે પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન સંસ્કાર ઇમેજિંગ હોલ સંસ્કાર બ્લડ બેંક, મોરબી ખાતે તા.૨૩ ને ગુરૂવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૧:૦૦ વાગ્યા સુધી રાખેલ છે. અને રક્તદાન એ મહાદાનની ઉક્તિને સાર્થક કરવા સગા, વ્હાલા, સંબંધીઓને ખુબજ મોટી સંખ્યામાં રક્તદાન કરવા આવે તેવી લાગણી કુંડારિયા અને ભાટિયા પરિવારના લોકોએ વ્યક્ત કરેલ છે

