મોરબીમાં જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધીના અધ્યક્ષસ્થાને સંવિધાન હત્યા દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતની ચૂંટણીનાં પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમ જેવો માહોલ મોરબીનાં વીશીપરામાં બે પરિવાર વચ્ચે સશસ્ત્ર ધિંગાણુ : 10ને ઈજા મોરબી જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતના વિજેતા સરપંચોના નામ જાણો અહીં મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત માળીયા મીયાણામાં માવતરના ઘરે આવેલ પરિણીતાએ જીવન ટુકાવ્યું મોરબીના મકનસર ગામે પત્નીને ચડામણી કરવાની ના પાડતા યુવાનને કૌટુંબિક ભાઈ-ભાભી સહિત પાંચ શખ્સોએ માર માર્યો મોરબીના બૌદ્ધનગરમાં જુગાર રમતા 5 શખ્સ 3700 ની રોકડ સાથે પકડાયા
Breaking news
Morbi Today

મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું નાની વાવડી રામાપીર મંદિરે કરાયું આયોજન


SHARE















મોરબી ભારત વિકાસ પરિષદ દ્વારા વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું નાની વાવડી રામાપીર મંદિરે કરાયું આયોજન

ભારત વિકાસ પરિષદ મોરબી  દ્વારા વૃક્ષદેવ પરિચય કાર્યશાળા નું આયોજન નાની વાવડી, રામાપીર મંદિર ખાતે કરવામાં આવેલ હતું અને વિશ્વની શ્રેષ્ઠ અને પ્રાચીનતમ્ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં પ્રચાર, પ્રસાર અને ઉપયોગીતા અંગેની સમજ જાગૃત થાય તે હેતુથી આ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં વૃક્ષોની લાક્ષણિકતા,પરિચય અને ઔષધીય ઉપયોગીતા વિશે માનનીય વૈદ કિરીટસિંહ ઝાલા  દ્વારા લગભગ ૪૦ જેટલી ઔષધીય વનસ્પતિનો પરિચય કરાવેલ અને વનસ્પતિ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.આ કાર્યશાળામાં ૪૦ જેટલા ભાઈ અને બાળકો ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ માં ગો-પાલક ,નિવૃત ગ્રામ સેવક, પ્રકૃતિપ્રેમી પ્રાણજીવન ભાઈ કાલરીયા અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.ભારત વિકાસ પરિષદના અધ્યક્ષ ડો. જયેશભાઈ પનારા, ભારત વિકાસ પરિષદના સભ્ય અને કાર્યક્રમ સંયોજક વિનોદભાઈ મકવાણા, નાની વાવડીના વિઠ્ઠલબાપા, નથુભાઈ, અમુભાઈ, માવજીભાઇ, જગદીશભાઈ રામજીભાઈ, હિંમતભાઈ મારવાણિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને કાર્યક્રમનું સંચાલન વિનોદભાઈ મકવાણાએ કર્યું હતું.






Latest News