હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

વાંકાનેર પાસે હિટ એન્ડ રન : પ્રદીપ ભોજવીયાનું મોત


SHARE











વાંકાનેર પાસે હિટ એન્ડ રન : પ્રદીપ ભોજવીયાનું મોત

23 વર્ષીય મૃતક બાઈક પર જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઈ ફરાર થતા ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવારમાં દમ તોડ્યો

વાંકાનેર પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પ્રદીપ ચંદુલાલ ભોજવીયા(ઉ.વ.23) નું મોત થયું હતું. મૃતક બાઈક પર જતો હતો ત્યારે અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઈ ફરાર થતા, ઇજાગ્રસ્તને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા સારવારમાં દમ તોડ્યો હતો.

આ અંગે વાંકાનેર સિટી પોલીસના સૂત્રોએ માહિતી આપી કે, ગઈકાલે બપોરે 3 વાગ્યે વાંકાનેર નજીક ધુવા ગામ પાસે એક યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલ હોવાની જાણ થતાં 108 મારફત લોકો-રાહદારીઓએ તેને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડેલ. જ્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ. પોલીસે તપાસ હાથ ધરતા આ યુવાનનું નામ પ્રદીપ ભોજવીયા હોવાનું જાણવા મળેલ. જેથી તેમના પરિવારને જાણ કરવામાં આવી હતી. સારવારમ યુવાને દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત છવાયો હતો. પોલીસે અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.






Latest News