ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ


SHARE











વાંકાનેરના જીનપરામાં જુગાર રમતા પાંચ જુગારીની ૧૨,૧૦૦ ની રોકડ સાથે ધરપકડ

વાંકાનેરમાં જીનપરામાં આવેલ રામજી મંદિર ચોક પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગાની રેડ કરી હતી ત્યારે પાંચ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૧૨૧૦૦ ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેરના જીનપરામાં આવેલ રામજી મંદિર પાસે ચોકમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જનકભાઈ પરસોતમભાઈ બાવળીયા (૩૭) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, સુનિલભાઈ રમેશભાઈ રાણેવાડિયા (૨૦) રહે જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર, રફિકભાઈ જુનાભાઈ કુરેશી (૨૨) રહે. જીનપરા શેરી નં-૧૦ વાંકાનેર, રમેશભાઈ રામજીભાઈ ડાભી (૩૪) રહે. જીનપરા શેરી નં-૧૨ વાંકાનેર અને હુસેનભાઈ વલીમહમદભાઈ શેખાણી (૩૬) રહે. જીનપરા શેરી નં-૨ વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૧૨,૧૦૦ ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

આગ લાગતા ઘરમાં નુકશાન

મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ પારેખ શેરીમાં મકાનમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેથી કરીને મકાન સળગી ગયું હતું જે બનાવ સંદર્ભે ઘરધણી હર્ષાબેન નિલેશભાઈ પારેખ જાતે વાણીયા (૬૦) રહે. હાલ રાજકોટ યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મેઇન રોડ વિવાંતા અનંતા બિલ્ડીંગ ફ્લેટ નંબર ૧૪૦૪-૧૪ રાજકોટ મૂળ રહે. પારેખ શેરી ગ્રીન ચોક પાસે મોરબી વાળાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News