મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત


SHARE







મોરબી-માળીયા તાલુકાનાં ૧૦ ગામના તળાવ ભરવા માટે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાની રજૂઆત

ટંકારા પડધરી બેઠકના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબી સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જુદા જુદા ૧૦ જેટલા ગામના તળાવો ભરવા માટે થઈને ભલામણ કરી છે અને ધારાસભ્ય દ્વારા જે પત્ર લખવામાં આવ્યું છે તેમાં તેણે જણાવ્યું છે કે મચ્છુ-૨ ના દરવાજા બદલવા માટેની જે કામગીરી કરવાની છે તેના માટે મચ્છુ-૨ ડેમમાંથી પાણી ખાલી કરવાનું છે અને આ પાણી જો મચ્છુ-૨ ડેમ પાસેથી નીકળતી કેનાલ મારફતે છોડવામાં આવશે તો બરવાળા, બગથળા, લૂંટાવદર, પીપળીયા, નાનીવાવડી, બીલીયા, મોડપર, નારણકા, ખેવારિયા, દેરાળા, ફગસિયા, સહિતના ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે અને ગામના તળાવમાં પાણી ભરાઈ જાય તો ઉનાળામાં અબોલ જીવ માટે પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જાય તેની સાથે આ ગામના લોકોને પણ પાણી ઉપયોગમાં આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખીએ છે કે મચ્છુ-૨ માંથી નીકળતી કેનાલમાં રીપેરીંગ કામ ચાલુ છે ત્યાં કાચા પાળા કરીને પાણી છોડવામાં આવે તો ઉપરોક્ત ગામના તળાવો સુધી પાણી પહોંચાડી શકાય તેમ છે તેવું ધારાસભ્ય કહી રહ્યા છે પરંતુ અધિકારીના કહેવા મુજબ જો કેનાલમાં પાણી છોડવામાં આવે તો તે કાચા પાળા રહે નહીં અને ખેડૂતોના ખેતરમાં નુકસાન થાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે જેથી કરીને મચ્છુ ડેમમાંથી નીકળતી કેનાલમાં હાલમાં પાણી છોડી શકાય તેમ નથી






Latest News