ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર


SHARE











મચ્છુ-૨ ના પાણીથી ૧૦ ચેકડેમ, મચ્છુ-૩ ડેમ અને ત્રણ ગામના તળાવ ભરાશે: કાર્યપાલક ઈજનેર

મોરબી નજીકના મચ્છુ-૨ ડેમમાંથી હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પીવામાં ઉપયોગમાં લઈ શકાય તેવું પાણી દરિયામાં વહી જતું હોય તે બાબતે મોરબી સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રેક્ષાબેન ગોસ્વામી સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે હાલમાં મચ્છુ-૨ ડેમમાંથી જે પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે તેના થકી મચ્છુ-૨ થી મચ્છુ-૩ વચ્ચેના અંતરમાં આવેલા ચાર ચેકડેમ તેમજ મચ્છુ-૩ ડેમથી લઈને દરિયા સુધીના વિસ્તારમાં આવેલા છ ચેકડેમ આમ કુલ મળીને ૧૦ ચેકડેમો આ પાણીથી ભરાઈ જશે તે ઉપરાંત મચ્છુ-૩ ડેમને પણ આખો ભરવામાં આવશે તથા માળીયા મીયાણા તાલુકાના સરવડ, નવાગામ અને ભેલા ગામના તળાવોને મચ્છુ-૨ ડેમમાંથી છોડવામાં આવેલા પાણી મારફતે ભરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જોકે, મચ્છુ-૨ ડેમમાંથી જે કેનાલ નીકળે છે તે કેનાલમાં રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી તેમાં પાણી છોડી શકાય તેમ નથી જેથી કરીને હાલમાં મચ્છુ-૩ ડેમની કેનાલ મારફતે ત્રણ ગામના તળાવો રવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને હાલમાં જે મચ્છુ-૨  ડેમને ખાલી કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે તે આગામી ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે અને ધીમે ધીમે ડેમમાંથી પાણીના જથ્થાનો પ્રવાહ વધારવામાં આવશે અને કુલ મળીને ૭૩૫ એમસીએફટી જેટલું પાણી મચ્છુ નદીમાં છોડવામાં આવશે જોકે લોકોને પાણીની કોઈ સમસ્યા ઊભી ન થાય તે માટેની પૂરેપૂરી તકેદારી પણ રાખવામાં આવી છે તેવું અધિકારીએ જણાવ્યું છે






Latest News