વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે પ્રાથમિક શિક્ષક વીણાબેન દલસાણિયા (દેસાઈ) એ મોરબીને રાજયકક્ષાએ ગૌરવ અપાવ્યું મોરબીમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્યાતી ભવ્ય ઉજવણી
Breaking news
Morbi Today

અમદાવાદથી ટ્રેનમાં મોરબી આવેલ બીએસએફના જવાનના થેલામાંથી એટીએમ-મોબાઇલ કાઢી લીધા: ૧,૩૧,૫૦૦ ના મુદામાલની ચોરી


SHARE











અમદાવાદથી ટ્રેનમાં મોરબી આવેલ બીએસએફના જવાનના થેલામાંથી એટીએમ-મોબાઇલ કાઢી લીધા: ૧,૩૧,૫૦૦ ના મુદામાલની ચોરી

મહેસાણા જિલ્લાના અંબાસણા ખાતે બીએસએફ કેમ્પમાં રહેતા જવાનને ચૂંટણી ફરજ માટે મોરબી જિલ્લામાં મુકાયેલ હોય તે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશને ટ્રેનની રાહ જોઈને બેઠેલ હતો તેવામાં કાળુપુર રેલવે સ્ટેશન ખાતે તે વોશરૂમ માટે ગયો હતો અને ત્યારે તેના થેલામાંથી મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડની ચોરી કરવામાં આવી હતી અને એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને જુદા જુદા બેંક એકાઉન્ટમાં ૧,૨૬,૫૦૦ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે આમ કુલ મળીને ૧,૩૧,૫૦૦ ની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા કર્મચારી દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જીરો નંબરથી ગુનો નોંધીને આ અંગેની જાણ અમદાવાદ પોલીસને કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઉત્તરાખંડના રહેવાસી અને હાલમાં મહેસાણા જિલ્લાના અંબાસણા ખાતે બીએસએફ કેમ્પમાં રહેતા મોહનપ્રસાદ વલ્લભપ્રસાદ ખંડુરી જાતે બ્રાહ્મણ (૫૬) નામના કર્મચારીને ચૂંટણી ફરજ માટે મોરબી જિલ્લામાં મુકાયા હોય અમદાવાદ થઈને તેઓ મોરબી તરફ આવી રહ્યા હતા ત્યારે અમદાવાદ કાળુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ ઉપર ટ્રેનની રાહ જોઈને બેઠા હતા દરમિયાન વોશરૂમ જતા પાછળથી તેના થેલામાંથી કોઈએ રેડમી કંપનીનો મોબાઇલ ફોન જેની કિંમત રૂપિયા ૫૦૦૦ તથા એસબીઆઈનું એટીએમ કાર્ડ ચોરી કરી લીધું હતું અને તે એટીએમ કાર્ડનો ઉપયોગ કરીને જુદા જુદા બેંક એકાઉન્ટમાં ૧,૨૬,૫૦૦ ની રકમ ટ્રાન્સફર કરી દીધેલ છે આમ કુલ મળીને ૧,૩૧,૫૦૦ ની કિંમતના મુદ્દામાલની ચોરી થઇ હોવાથી ભોગ બનેલા મોહનપ્રસાદ ખંડુરીએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં પોલીસે ચોરીનો ગુનો નોંધી આ બનાવ અમદાવાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની તજવીજ હાથ ધરી છે

બાઈલ સ્લીપ
મોરબી તાલુકાના પંચાસર ગામે રહેતા ભગીરથસિંહ સુરુભા ઝાલા (૩૮) નામનો યુવાન બાઇક લઈને પંચાસર ગામમાં આવેલ રાજપૂત સમાજની વાડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી ચલાવી રહ્યા છે






Latest News