ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું


SHARE











વાંકાનેર: આર્થિક સંકળામણ-ઘરકંકાશના લીધે યુવાને ન કરવાનું કર્યું

વાંકાનેર તાલુકાના ઢુવા ગામે ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા યુવાને આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલવે લાઈન ઉપરથી પસાર થતી ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી અને તેનું મોત નીપજયું હતું અને આ બનાવ અંગેની સ્ટેશન માસ્તર દ્વારા વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ વાંકાનેર તાલુકાના માટેલ ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના ઢુવા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિરમાં રહેતા ધર્મેન્દ્રભાઈ ઉર્ફે કાળુ ભીમજીભાઇ મકવાણા જાતે લુહાર (૩૮) નામના યુવાને ઢુવા પાસે આવેલ અમૃત સિરામિક કારખાના પાછળથી પસાર થતી રેલ્વે લાઈન ઉપરથી જઈ રહેલ ટ્રેન આડે પડતું મૂક્યું હતું જેથી કરીને ધર્મેન્દ્રભાઈને માથામાં અને શરીરને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવની મકનસરના રેલ્વે સ્ટેશન માસ્તર સંતોષ બુધ્ધરામ સૈનીએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને જાણ કરી હતી જેથી કરીને પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક યુવાન કોઈ કામ ધંધો કરતો ન હોય આર્થિક સંકળામણના કારણે ઘરકંકાશ રહેતો હતો જેનાથી કંટાળી જઈને રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થતી રેલવે ટ્રેન આડે પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જે.જી. ઝાલા ચલાવી રહ્યા છે






Latest News