જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

ટંકારાના છતર ગામે રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત


SHARE











ટંકારાના છતર ગામે રસોઈ બનાવતા દાઝી ગયેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત

ટંકારા તાલુકાના છતર ગામે રસોઈ બનાવતા સમયે દાઝી જવાથી મહિલાને સારવાર માટે મોરબી અને ત્યાર બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જો કે, સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું છે જેથી એક દીકરીએ માતાની છત્રછાયા ગુમાવી છે અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા રાધીકાબેન ગુડુભાઈ રાજભર (૩૦) નામના મહિલા પોતે પોતાના ઘરે રસોઈ બનાવતા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતે દાઝી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં હોસ્પિટલે તેને સારવાર આપવામાં આવ્યા બાદ તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે મહિલાનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુમાં ટંકારા તાલુકા પોલીસમાંથી મળતી માહિતી મુજબ મહિલાનો લગ્ન ગાળો છ વર્ષનો હતો અને તેને એક દીકરી હતી આ દુર્ઘટનાથી બાળકીએ તેની માતાની છત્રછાયા ગુમાવી છે






Latest News