ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત


SHARE











વાંકાનેરમાં વેલ્ડિંગની દુકાને કામ કરી રહેલા યુવાનનું હાર્ટ એટેકથી મોત

વાંકાનેરના જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા યુવાનને દુકાને હતો ત્યારે હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજયું હતુ ત્યારબાદ તે યુવાનના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને જોઈ તપાસીને ડોક્ટરે મૃત જાહેર કર્યા બાદ આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર હાર્ટ એટેકના પ્રમાણમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે અને ખાસ કરીને યુવાનોને હાર્ટ અટેક વધુ આવતા હોય તેવા કિસ્સાઓ પણ સામે આવે છે તેવામાં વાંકાનેરના નવાપરા વિસ્તારમાં આવેલ જડેશ્વર ચેમ્બરમાં વેલ્ડીંગની દુકાન ધરાવતા અને મિલ પ્લોટ વિસ્તારમાં રહેતા શંકરભાઈ લક્ષ્મણભાઈ કુંમખાણીયા (૪૦) નામનો યુવાન પોતાની વેલ્ડીંગની દુકાને હતો અને કામ કરી રહ્યો હતો ત્યારે તેને હાર્ટ એટેક આવતા તેનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News