ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું


SHARE











ટંકારા તાલુકમાંથી વતનમાં જવાની માતાએ ના પડતાં સગીરાએ અણધાર્યું પગલું ભર્યું

ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ જિનિંગ મિલની ઓરડીમાં રહેતા પરિવારની સગીર વયની દીકરીને ત્યાં બાજુમાં રહેતા યુવાન સાથે મનમેળ થઈ ગયો હતો અને યુવાન તેના વતનમાં જતો હોય તે સગીરાને પણ તેની સાથે જવું હતું જોકે સગીરાની માતાએ તેને સાથે જવાની ના પડી હતી જેથી યુવાને તેના વતનમાં જતો રહ્યો હતો અને સગીરાને મનોમન લાગી આવતા તેણે પોતાના લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મૃતક સગીરાની માતાએ ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના નેકનામ પડધરી રોડ ઉપર આવેલ ઓસન કોટન જીનિંગ મિલની ઓરડીમાં રહેતી અને મજૂરી કામ કરતી દેવિકાબેન સરદારભાઈ મેડા (૩૫) નામની મહિલાએ તેની દીકરી સુનીતાબેન સરદારભાઈ મેડા (૧૭)એ જિનિંગ મિલના લેબર ક્વાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હોવા અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરી છે જેથી કરીને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સી.એસ. કડવાતર ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક સુનિતાબેનને તેઓની ઓરડીની બાજુમાં રહેતા અને ત્યાં ફીટરનું કામ કરતા રવિકુમાર નામના વ્યક્તિ સાથે મનમેળ હતો અને રવિકુમાર પોતાના વતનમાં જતો હોય મરણ જનાર સગીરાને તેની સાથે જવું હતું ત્યારે તેની માતા દેવિકાબેને તેને જવાની ના પાડી હતી અને તારી ઉંમર નાની છે રવિકુમાર સાથે તારે ન જવાય તેવું કહ્યું હતું જેથી રવિકુમાર તેના વતનમાં જતો રહ્યો હતો અને ત્યારબાદ સગીરાને મનોમન લાગી આવતા તેણે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News