મોરબી: અકસ્માત વળતરના કેશમા ૧૮ લાખનું વળતર અપાવતી કોર્ટ મોરબીની મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા અધિક માસની અમાસ નિમિત્તે ૨૦ માતાઓનું સેવા-સન્માન મોરબીના પીપળી ગામ પાસે કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં 3 આરોપી પકડાયા, 1.97 લાખનો મુદામાલ કબ્જે: 2 ની શોધખોળ  મોરબીની આયુષ હોસ્પિટલના ડૉ. સત્યજીતસિંહ જાડેજાએ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમતા વૃદ્ધને આપ્યું નવજીવન કોરોનાએ છીનવી માતાની છત્રછાયા તો સરકાર બની માવતર: મોરબીની દીકરીને લગ્ન પ્રસંગે મળી બે લાખની આર્થિક સહાય PM CARES for Children: મોરબીના કલેક્ટરે બાળકો સાથે વન-ટુ-વન સંવાદ યોજી આત્મીય માર્ગદર્શન આપ્યું મોરબી જિલ્લાના પૂર્વ મંજૂરી મેળવેલ બાગાયતદાર ખેડૂતોને યોજનાકીય લાભ માટે જરૂરી દસ્તાવેજો રજૂ કરવા ખાનગી કંપનીના વીજ પોલના વળતર મામલે ઉગ્ર બનતા ખેડૂતો: મોરબીના જેતપર ગામે હવે બિન રાજકીય આમરણાંત ઉપવાસ આંદોલનના માંડણ
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત


SHARE











મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી યુવાને મોરબી નજીક આવેલ સિરામિક કારખાનામાં હતો ત્યારે પથરીની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી સન્નીભાઈ અરવિંદભાઈ પાટડીયા જાતે પ્રજાપતિ (૨૧) નામના યુવાને મોરબી નજીક આવેલ સેગા ટાઇલ્સ નામના કારખાનામાં હતો ત્યારે તા ૧૩/૩/૨૪ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું તા ૬//૪/૨૪ ના રોજ રાતે મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં મૃતક યુવાનના પિતા અરવિંદભાઈ પાટડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સન્નીને છેલ્લા થોડા સમયથી પથરીની બીમારી હતી તેનાથી કંટાળીને તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા હતા જેમાંથી એક દીકરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને એક દીકરો મંદબુદ્ધિનો છે હાલ આપઘાતના આ બનાવ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના દહીસરા ગામે રહેતા ઉર્મિલાબેન બાંભણીયા (૩૦) અને કમીબેન નરગામા (૨૬) નામના બે મહિલાઓને ચાચાવદરડા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News