મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત


SHARE











મોરબી નજીક સિરામિક કારખાનામાં ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવાર દરમ્યાન રાજકોટમાં મોત

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી યુવાને મોરબી નજીક આવેલ સિરામિક કારખાનામાં હતો ત્યારે પથરીની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે

ટંકારા તાલુકાના વાઘગઢ ગામના રહેવાસી સન્નીભાઈ અરવિંદભાઈ પાટડીયા જાતે પ્રજાપતિ (૨૧) નામના યુવાને મોરબી નજીક આવેલ સેગા ટાઇલ્સ નામના કારખાનામાં હતો ત્યારે તા ૧૩/૩/૨૪ ના રોજ ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીથી રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તેનું તા ૬//૪/૨૪ ના રોજ રાતે મોત નીપજયું છે જેથી કરીને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે વધુમાં મૃતક યુવાનના પિતા અરવિંદભાઈ પાટડીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે સન્નીને છેલ્લા થોડા સમયથી પથરીની બીમારી હતી તેનાથી કંટાળીને તેણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને તેઓને સંતાનમાં એક દીકરી અને બે દીકરા હતા જેમાંથી એક દીકરાએ ઝેરી દવા પીને આપઘાત કરી લીધેલ છે અને એક દીકરો મંદબુદ્ધિનો છે હાલ આપઘાતના આ બનાવ અંગેની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના દહીસરા ગામે રહેતા ઉર્મિલાબેન બાંભણીયા (૩૦) અને કમીબેન નરગામા (૨૬) નામના બે મહિલાઓને ચાચાવદરડા ગામના પાટિયા પાસે વાહન અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ હાલતમાં તે બંને મહિલાઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને બનાવની જાણ કરી હતી જેથી પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી જોકે અકસ્માતનો બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલો છે જેથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત હાથ ધરી છે






Latest News