મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં


SHARE







મોરબીના ખારેચીયા ગામે કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણથી બે શ્રમિકોના મોત: બે સારવારમાં

મોરબી તાલુકાના ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકી સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો ટાંકીમાં ઉતર્યા હતા ત્યારે ગુંગણામણ થવાના કારણે ચાર પૈકીના બે શ્રમિક યુવાનોના મોત નિપજયા છે અને બે શ્રમિક યુવાનોને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબી તાલુકાના આમરણ ગામ પાસે આવેલ ખારેચીયા નજીક આવેલ બાયો જેટલીટ લાઇફ સાયન્સ નામના કારખાનામાં આજે સવારે દસેક વાગ્યાના અરસામાં ટાંકીની સફાઈ કરવા માટેની કામગીરી શ્રમિકો દ્વારા કરવામાં આવી રહી હતી અને ટાંકીને સાફ કરવા માટે થઈને ચાર શ્રમિકો તેમાં ઉતર્યા હતા દરમિયાન ટાંકીની અંદર ગુંગણામણ થવા લાગવાના કારણે ચાર પૈકીના બે શ્રમિકોના મોત નિપજ્યા છે અને બે શ્રમિકોને ગંભીર હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ આવવામાં આવ્યા છે તેવી માહિતી હાલમાં જાણવા મળી રહે છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે આ બનાવની આગળની તપાસ ફિરોજભાઈ સુમરાને સોંપવામાં આવી છે અને ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ખારેચીયા ગામ પાસે આવેલ કારખાનામાં ટાંકીના સફાઈ કામ દરમિયાન ગુંગણામણ થવાના કારણે મંગલ મનુભાઈ સોર જાતે આદિવાસી (૨૦) અને અનંત અનુપભાઈ ઘોસાલ જાતે બ્રાહ્મણ (૨૧) રહે બંને બાયો જેટલીટ લાઈફ સાયન્સ કારખાનું ખારેચીયા તાલુકો મોરબી વાળાના મોત નિપજયા છે અને તેની સાથે ટાંકીને સફાઈ કામ માટે થઈને ટાંકીમાં ઉતરેલા અન્ય બે શ્રમિકોને સારવાર માટે મોરબીના શનાળા રોડ પર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવ્યા છે






Latest News