ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ


SHARE











રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાની ટીકીટ રદ કરો: વાંકાનેર ક્ષત્રિય સમાજ

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમભાઇ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે થઈને છે શબ્દ પ્રયોગ કરવામાં આવ્યા છે તેને લઈને સમાજમાં રોષની લાગણી ફેલાયેલ છે તેવામાં મોરબી જિલ્લાના વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જેમાં પરસોતમભાઇ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે અને તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરેલ છે

હાલમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા એક જગ્યાએ કાર્યક્રમમાં ગયા હતા અને ત્યાં કાર્યક્રમમાં તેણે ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ માટે જે શબ્દ પ્રયોગ કર્યા હતા તેને લઈને સમગ્ર ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે અને રાજપુત કરણી સેનાના ગુજરાત તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટની ટિકિટ ભાજપ દ્વારા રદ કરવામાં આવે તેવી માંગ અગાઉ કરવામાં આવી છે તેવામાં આજે વાંકાનેરમાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ નાયબ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને પરસોતમ રૂપાલા સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ તેની રાજકોટ બેઠક ઉપરથી ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરેલ છે અને જો આગામી સમયમાં રાજકોટ બેઠક ઉપરથી પરસોતમભાઇ રૂપાલા ની ટિકિટ રદ કરવામાં નહીં આવે ભાજપ દ્વારા તો ક્ષત્રિય સમાજની જે વિવિધ ૧૦૦ જેટલી સંસ્થાઓ છે તેના દ્વારા બનાવવામાં આવેલ કમિટી દ્વારા જે નિર્ણય કરવામાં આવશે તે મુજબ વિરોધ પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં કરવામાં આવશે અને શહેરથી લઈને ગામડા સુધી ભાજપ વિરોધી મતદાન કરવા માટે થઈને લોકોને અપીલ કરવામાં આવશે તેવું વાંકાનેર ક્ષત્રીય સમાજના આગેવાનોએ જણાવ્યું છે






Latest News