મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ


SHARE







મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમ અપહરણ અને પોકસોની ફરિયાદ નોંધાયેલ હતી અને આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પોક્સો કાયદાનો ગુનો પૂરવાર ન થતાં આરોપીને પોક્સો કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે

આ કેસમાં ફરિયાદ એવી હતી કે, ફરિયાદીની દીકરી સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું જેથી કરીને મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી અબ્બાસ નુરમામદભાઈ સામતાણીની ધરપકડ કરવામા આવેલ હતી અને આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જિલ્લાના એડવોકેટ જે.ડી. સોલંકીને રોકેલ હતા અને આ કેસમાં ફરિયાદીપક્ષના ફરિયાદી, તેમની ભોગ બનનાર દીકરી તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ભોગ બનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા તથા ડોક્ટરના પૂરાવામાં  ભોગબનનાર સાથે  કોઈપણ પ્રકારની જોરજબરદસ્તી કે બળજબરીપૂર્વક કોઈ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવો લેશમાત્ર પુરાવો રજૂ કરવામાં આવેલ નથી. તથા તપાસ અધિકારી વિગેરેની જુબાની લેવામાં આવેલ અને તમામ પુરાવાઓને અંતે આરોપી પક્ષના વકીલ દ્રારા દલીલ કરી હતી કે, આ કેસમાં ફરિયાદી પક્ષે ફરિયાદથી વિરૂદ્ધ અને વિપરીત હકીકતો જણાવેલ છે. અને આ કામની ભોગબનનાર તથા તેના પરિવાર દ્વારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસ કે તેમના નિવેદનને સમર્થન આપ્યું નથી તેમજ આ શિક્ષા પાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાતત્યભર, સબળ, વિશ્વસનીય, માનવાલાયક,આધારભૂત પુરાવોથી પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયું હતું આ બાબતે બને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે






Latest News