મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા પંચમહાભૂતમાં વિલીન, અંતિમયાત્રામાં રાજ્યમંત્રી સહિતના જોડાયા વાંકાનેરમાં તળાવો ભરવા માટે સૌની યોજના લિંક-૩, પેકેજ-૩ નું ખાતમુહૂર્ત કરાયુ મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા ગરીબ અને વંચિત બાળકોને નિઃશુલ્ક RTE ફોર્મ ભરી આપવામાં આવશે મોરબી જિલ્લામાં આવતીકાલથી ત્રણ દિવસ જિલ્લા, તાલુકા, પાલિકા અને મહાપાલિકાની બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા મોરબીમાં બાવા અહેમદશાની મસ્જિદ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાને સક્ષમ શાળા તેમજ હરીત વિદ્યાલય એવોર્ડ એનાયત મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને બે શખ્સોએ છરી-ધારિયા વડે યુવાન ઉપર કર્યો હુમલો મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીના અપહરણ-પોકસોના ગુનામાં આરોપીને નિર્દોષ છોડી મૂકવા કોર્ટનો આદેશ

મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમ અપહરણ અને પોકસોની ફરિયાદ નોંધાયેલ હતી અને આરોપીને પકડવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં પોક્સો કાયદાનો ગુનો પૂરવાર ન થતાં આરોપીને પોક્સો કોર્ટે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે

આ કેસમાં ફરિયાદ એવી હતી કે, ફરિયાદીની દીકરી સગીર હોવાનું જાણવા છતાં આરોપીએ લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તેનું અપહરણ કર્યું હતું જેથી કરીને મોરબી એ ડીવીજન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી અને આરોપી અબ્બાસ નુરમામદભાઈ સામતાણીની ધરપકડ કરવામા આવેલ હતી અને આરોપીએ તેના કેસમાં બચાવ કરવા મોરબી જિલ્લાના એડવોકેટ જે.ડી. સોલંકીને રોકેલ હતા અને આ કેસમાં ફરિયાદીપક્ષના ફરિયાદી, તેમની ભોગ બનનાર દીકરી તથા અન્ય સાહેદોના પુરાવાઓથી ભોગ બનનાર ખરેખર બનાવ સમયે સગીર વયની હતી તેવું પુરવાર કરવામાં નિષ્ફળ ગયેલ હતા તથા ડોક્ટરના પૂરાવામાં  ભોગબનનાર સાથે  કોઈપણ પ્રકારની જોરજબરદસ્તી કે બળજબરીપૂર્વક કોઈ પ્રકારનું દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય તેવો લેશમાત્ર પુરાવો રજૂ કરવામાં આવેલ નથી. તથા તપાસ અધિકારી વિગેરેની જુબાની લેવામાં આવેલ અને તમામ પુરાવાઓને અંતે આરોપી પક્ષના વકીલ દ્રારા દલીલ કરી હતી કે, આ કેસમાં ફરિયાદી પક્ષે ફરિયાદથી વિરૂદ્ધ અને વિપરીત હકીકતો જણાવેલ છે. અને આ કામની ભોગબનનાર તથા તેના પરિવાર દ્વારા તેમજ અન્ય સ્વતંત્ર સાહેદોએ તેમના મૌખિક પુરાવામાં ફરિયાદ પક્ષના કેસ કે તેમના નિવેદનને સમર્થન આપ્યું નથી તેમજ આ શિક્ષા પાત્ર ગુનો કરેલ હોવાનું નિઃશંકપણે સાતત્યભર, સબળ, વિશ્વસનીય, માનવાલાયક,આધારભૂત પુરાવોથી પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ ગયું હતું આ બાબતે બને પક્ષકારોની તમામ દલીલોને ધ્યાને લઈ બચાવ પક્ષની તમામ દલીલો માની કોર્ટે પોકસોના કાયદાનો ગુનો પુરવાર ન થતો હોય આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે






Latest News