માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
Breaking news
Morbi Today

ચેક આપી વિશ્વાસ ભંગ કરનાર લોકો સાવધાન : મોરબીમાં સમાધાન માટે આપેલ ચેક રિટર્ન થતા દેવાદારને રૂા.૮ લાખનો દંડ એક વર્ષની સજા


SHARE











ચેક આપી વિશ્વાસ ભંગ કરનાર લોકો સાવધાન : મોરબીમાં સમાધાન માટે આપેલ ચેક રિટર્ન થતા દેવાદારને રૂા.૮ લાખનો દંડ એક વર્ષની સજા

મોરબીમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સાદી સજા અને રૂા. ૮,૦૦,૦૦૦ નો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર તરીકે ચૂકવવાનો હુકમ મોરબીના ત્રીજા એડી.ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધની કોર્ટએ કરેલ છે.

કેસની વિગત જોઇએ, તો ફરીયાદી નાનક ઇન્ફાસ્ટ્રકચરના ભાગીદાર મયુર ગુણવંતભાઈ નાનકે આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર, રહે-૨૦૪ બાબુભાઇ ચેમ્બર, આથવા ગેટ, સુરતવાળા સામે મોરબીની નામદાર અદાલતમાં ફોજદારી કેસમાં ચેક રીટર્નના કેસમાં થયેલા સમાધાન પેટે રૂા.૫,૫૦,૦૦૦ નો ચેક આરોપીએ પોતાની સહી કરીને ફરીયાદીને આપેલ.જે ચેક પરત ફરતા ફરીયાદીએ આ હાલની ફરીયાદના આરોપી-ભરતકુમાર ધિરૂભાઈ ભાવસાર સામે ચેક રીટર્ન થયા અંગેની નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળની ફરીયાદ મોરબીની ત્રીજા એડી ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ ની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતા ફરીયાદીના એડવોકેટ જી.ડી.વરીયાની ધારદાર દલીલો અને નેગોશીએબલના કાયદાની જોગવાઇઓના આધારે તા.૨૯-૩-૨૪ ના રોજ ત્રીજા એડી. ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ જે.વી.બુધ્ધ એ આરોપી ભરતકુમાર ધિરૂભાઈ ભાવસારને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા અને રૂા.૮ લાખનો દંડ તથા તે દંડની રકમમાથી ફરીયાદીને રૂા.૭,૨૩,૨૫૦ વળતર ચૂકવવા હુકમ ફરમાવેલ છે.નામદાર અદાલત સમક્ષ ચેક રીટર્નના કેસમાં ફરીયાદી સાથે સમાધાન કરી સમાધાન પેટેનો ચેક આપી ફરીયાદી સાથે વિશ્વાસ અને ભરોસાનો ભંગ કરતાં આરોપીઓ માટે લાલબતી સમાન ચુકાદો કોર્ટેએ આપેલ છે.ફરીયાદી તરફે વકીલ તરીકે ગૌતમ વરીયા તથા બી.કે,ભટ્ટ રોકાયેલા હતા.






Latest News