મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન મોરબીમાં 25 લાખ માટે સીરામીક ઉદ્યોગપતિ અને તેના મિત્ર ઉપર જીવલેણ હુમલો કરનારા અજયભાઈ લોરીયાની ધરપકડ: ગાડી, ધોકો, કપડાં, મોબાઈલ કબ્જે કરતી પોલીસે
Breaking news
Morbi Today

મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના વીસી ફાટકે અંડરપાસ બ્રીજ બનાવવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી વીસી ફાટક પાસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તેવી માંગ સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવેલ છે

ટંકારા તાલુકાનાં વીરપર ગામે રહેતા સીનીયર સીટીઝન અને સામાજીક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં ટ્રાફીક સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે જેના લીધે અકસ્માતો પણ થાય છે. ત્યારે મોરબીના વીસી ફાટક પાસે જો અંડરપાસ બ્રીજ બને તો ટ્રાફીક સમસ્યા હળવી થાય તેમ છે. અને ફાટક વારંવાર બંધ થતી લોકોને થતી હેરાનગતિમાંથી પણ મુક્તિ મળી જશે હાલમાં મોરબીમાં નટરાજ ઓવરબ્રીજની કામગીરી ચાલે છે. તેથી વધુમાં વધુ ટ્રાફીક વીસી ફાટક પાસે થાય છે જેથી કરીને વહેલી તકે મોરબી વીસી ફાટક અંડરપાસ બ્રીજ બનાવમાં આવે તેવી માંગ કરેલ છે વધુમાં લખ્યું છે કે, ન્યાયાધીશના કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ ટુંકાવીને તે જમીનનો રોડ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે તે જરૂરી છે કેમ કે, મોરબીમાંથી સામાકાંઠે જતાં વાહનોનું પ્રમાણ ખુબ જ હોય છે. ત્યારે પોલીસ અને ટ્રાફીક બ્રિગેડના જવાનો સાથે વાહન ચાલકોને જે ઘર્ષણ થાય છે. તેના બંધ થઈ જશે અને લોકોની સુવિધામાં વધારો થશે જેથી કરીને વહેલી તકે ત્યાં અંડરપાસ બ્રીજ બનાવવામાં આવે તે અનિવાર્ય છે






Latest News