મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત


SHARE











રાજકોટના આધેડે કોટડા નાયાણી ગામે પોતાની જ વાડીમાં અંતિમ પગલું ભત્રી લેતા મોત 

રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્કમાં રહેતા આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હોવાથી બીમારીથી કંટાળી ગયા હતા અને તેઓ રાજકોટથી વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે આવેલ પોતાની વાડી આવ્યા હતા અને ત્યાં ખેત ઉપયોગી ઝેરી દવા પી ગયા બાદ તેને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતકના દીકરાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ માં રહેતા સુરેશભાઈ મોહનભાઈ લીંબાસીયા જાતે પટેલ (૫૩) નામના આધેડે વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામની સીમમાં તેની પોતાની વાડીએ ઝેરી દવા પી લીધા બાદ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવ અંગેની મૃતકના દીકરા રવિભાઈ સુરેશભાઈ લીંબાસીયા જાતે પટેલ (૨૬) રહે. તીરૂપ્તી પાર્ક શેરી નં-૨ ગ્રીનલેન્ડ ચોકડી પાસે રાજકોટ વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને આ બનાવની જાણ કરી હતી અને વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મૃતક આધેડને મોઢામાં પડેલા ચાંદા મટતા ન હતા અને તે પોતાની બીમારીથી કંટાળી ગયા હોય તેઓ રાજકોટથી તેઓની વાડી કોટડા નાયાણી ગામે આવેલ છે ત્યાં આવ્યા હતા અને ત્યાં તેણે પોતાની જાતે આપઘાત કરી લીધેલ છે આ બનાવ અંગેની હાલમાં પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કે.બી. જાડેજા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં હળવદના ભવાનીનગર વિસ્તારમાં રહેતા સીપરા પાર્થ મનીષભાઈ (૧૩) નામના બાળકને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને વધુ તપાસ જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News