મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સજા: ૨૦ હજારનો દંડ


SHARE











મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મના ગુનામાં આરોપીને ૧૨ વર્ષની સજા: ૨૦ હજારનો દંડ

મોરબી નજીકના શનાળા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું વર્ષ ૨૦૧૯ માં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવી હતું જે કેસ સ્પેશ્યલ જજ અને એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટે ચાલી ગયો હતો જેમાં આરોપીને ૧૨ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કરેલ છે અને આ કેસમાં આરોપીના બનેવીને શંકાનો લાભ આપી છોડી મુકવામાં આવેલ છે

હાલમાં આ કેસની સરકારી મદદનીસ વકીલ પાસેથી મળતી માહિતી મુજબ શનાળા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું વર્ષ ૨૦૧૯માં આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાએ  લગ્ન આપીને અપહરણ કરવામાં આવ્યું હતું અને નવલખી રોડ ઉપર આવેલ ચરમરીયાદાદાના મંદિર નજીકના વિસ્તારમાં લઈ ગયા બાદ આરોપીના બનેવી બિપિન પ્રવીણભાઈ રત્નોતરે તેઓને રૂમની વ્યવસ્થા કરી આપી હતી અને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાએ ભોગ બનનાર સગીર હોવાનું જાણતો હોવા છતાં પણ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને સગીરાની માતાએ તે અંગેની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. હીના આધારે ગુનો નોંધીને પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને આ કેસ મોરબી સ્પેશ્યલ જજ અને એડિશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં મદદનીસ સરકારી વકીલ નીરજ ડી. કરિયાએ કરેલ દલીલો અને ૧૬ મૌખિક તેમજ ૨૫ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને આરોપી ધર્મેન્દ્ર ઉર્ફે અતુલ નટવરલાલ પંડ્યાને કોર્ટે ૧૨ વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ કર્યો છે અને આરોપીના બનેવીને મદદગારી બદલ શંકાનો લાભ આપી છોડી મુકવાનો આદેશ કોર્ટે કરેલ છે તેમજ ભોગ બનેલ સગીરાને ૩ લાખની વળતર વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ આપવાનો હુકમ કરેલ છે અને જો આરોપી દંડ ભરે તે રકમ પણ ભોગ બનેલ સગીરાને આપવા હુકમ કરેલ છે




Latest News