ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

હળવદમાં ઘરમાં નડતર દૂર કરવાના બહાને વૃદ્ધ સાથે ૩૯,૨૦૦ ની છેતરપિંડી


SHARE











હળવદમાં ઘરમાં નડતર દૂર કરવાના બહાને વૃદ્ધ સાથે ૩૯,૨૦૦ ની છેતરપિંડી

હળવદમાં સરારોડ ઉપર આવેલ આલાપ સોસાયટીમાં રહેતા વૃદ્ધને ઘરમાં નડતર હોવાથી તેને દૂર કરવા વિધિ કરવી પડશે તેવું કહીને તેને વિશ્વાસમાં લઈને તેની પાસેથી ૩૯૨૦૦ રૂપિયા લેવામાં આવ્યા હતા અને તેની સાથે છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી કરીને વૃદ્ધ દ્વારા હાલમાં હળવદ તાલુકો પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ શહેરમાં આવેલ આલાપ સોસાયટીમાં બ્લોક નંબર-૩૮ ખાતે રહેતા ઈશ્વરભાઈ મહાદેવભાઇ જસાપરા જાતે પટેલ (૬૪) નામના વૃદ્ધે અજાણ્યા બે શખ્સોની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, આરોપીઓ તેની પાસે આવ્યા ત્યારે પટેલ હોવાનું તેમણે જણાવ્યું હતું અને તેઓના ઘરમાં નડતર છે તો વિધિ કરાવવાથી નડતર દૂર કરી દેશું તેવું કહીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા અને ફરિયાદી પાસેથી વિધિના બહાને રૂપિયા ૩૯૨૦૦ લીધા હતા અને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આઈપીસી કલમ ૪૦૬, ૪૨૦ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી અજાણ્યા બે શખ્સોને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક સ્લીપ

ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતા રવિન્દ્ર મનહરલાલ નિમાવત (૩૬) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થતો હતો ત્યારે બાપા સીતારામના મંદિર નજીક તેના બાઈકની આડે ગાય ઉતરી હતી જેથી બાઈક સ્લીપ થઈ જતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને પ્રાથમિક તપાસ વિપુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે જોકે બનાવતા ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં જાણ કરવા માટે કવાયત કરેલ છે






Latest News