મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત


SHARE













ખેડૂત ખરાઈ અંગેના પ્રમાણપત્રની સમસ્યા: મોરબીના સીટીઝન કાઉન્સીલે સીએમને કરી રજૂઆત

ખેડૂતોને જમીન ખરીદી સમયે ખરાઈનું પ્રમાણપત્ર આપવાનું હોય છે અને એક જ જીલ્લામાં ખરીદી કરનાર ખાતેદારને તાલુકામાં જમીન ખરીદી માટે ખરાઈ પ્રમાણપત્ર માંગવામાં આવે છે જે બાબતે મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા સીએમને જૂઆત કરવામાં આવી છે.

મોરબી સીનીયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી કે લહેરૂમંત્રી મહેશભાઈ ભટ્ટ દ્વારા હાલમાં સીએમને રજૂઆત કરવામાં આવી છે તેમાં જણાવ્યુ છે કે, કોઈ ખેડૂત જમીન ખરીદે છે ત્યારે જે તે જીલ્લાનો હોય અને તે ખેડૂત તે જ જીલ્લાના તાલુકા ગામની જમીન ખરીદ કરે છે ત્યારે તેની પાસેથી ખેતીની જમીન ખાતે કરવા ખરાઈનું પ્રમાણપત્ર માંગવામાં આવે છે જો એક જીલ્લામાંથી બીજા જીલ્લામાં જમીન ખરીદે અને પ્રમાણપત્ર માંગવામાં આવે તે વ્યાજબી છે પરંતુ એક જીલ્લાના ખાતેદાર હોય અને તે જ તાલુકામાં જમીન ખરીદી કરે તો પ્રમાણપત્ર માંગવામાં આવે ત્યારે ખેડૂતોને જમીન ખાતે કરવા માટે હેરાન થવું પડે છે જે જીલ્લામાં જમીન લે ત્યાં પ્રાંત અધિકારી તથા રેવન્યુ ડીપાર્ટમેન્ટ અધિકારી ઓનલાઈન ખાતેદાર છે કે નહિ તે જોઈ સકે છે જેથી જીલ્લાના તાલુકામાં જ જમીન ખરીદે તો ખાતે કરવા ખેડૂત ખરાઈ પ્રમાણપત્રની મુક્તિ આપવામાં આવે તેવી માંગ કરી છે






Latest News