મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં વિશેષ તપાસ માટે કરાયેલ અરજીમાં સુધારો કરવા થયેલ અરજી કોર્ટમાં ના મંજુર


SHARE











મોરબીના ઝૂલતા પુલ કેસમાં વિશેષ તપાસ માટે કરાયેલ અરજીમાં સુધારો કરવા થયેલ અરજી કોર્ટમાં ના મંજુર

મોરબીની કોર્ટમાં ઝુલતા પુલ કેસમાં વિકટીમ એસો.એ કલમ ૩૦૨ નો ઉમેરો તથા કંપનીને આરોપી બનાવવા માટે વિષેશ તપાસ માટે અરજી કરવામાં આવી હતી આ વિશેષ તપાસ માટેની અરજીના કામે સુધારો કરવા થયેલ અરજી કરવામાં આવી હતી જેને મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ના મંજૂર કરી હોવાનું જાણવા મળેલ છે

મોરબીમાં ઝુલતો પુલ તૂટી પડ્યો હતો જેમાં ૧૩૫ જેટલા લોકોના મોત નિપજ્યા હતા ત્યારબાદ તે અંગેની ફરિયાદ નોંધાઈ હતી અને તે કેસ મોરબી ડિસ્ટ્રીક કોર્ટમાં હાલમાં ચાલી રહ્યો છે દરમિયાન ઝૂલતા પુલ દુર્ઘટના બાદ બનેલ વિકટીમ એસોસિએશન દ્વારા આ ઘટનાની વિશેષ તપાસ માટે થઈને મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને તેના કામે સુધારો કરવા થયેલ અરજી આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે મેસર્સ અજંતા પ્રાઇવેટ લિમિટેડ કંપનીને આરોપી તરીકે સામેલ રાખીને તપાસ કરવી જોઈએ, કંપનીનું પુસને લગતું તમામ સાહિત્ય કબજે કરવું જોઈએ, ડાયરેક્ટર-મેનેજર તથા મેનેજિંગ ડિરેક્ટરનો રોલ તે અંગેની તપાસ થવી જોઈએ, કલેકટર કચેરી સાથે કરવામાં આવેલા તમામ પત્ર વ્યવહારોષ કબજે કરવા જોઈએ, જુલતા પુલથી થયેલ આવક અને ખર્ચના હિસાિરરરબો મેળવવા જોઈએ, જરૂરી સાહેદોના નિવેદન લેવા જોઈએ તેમજ આ ગુનામાં અગાઉ પકડાયેલા અને જામીનમુક્ત થયેલા આરોપીઓને ૩૦૨ ના ગુના માટે ધરપકડ કરવા જોઈએ, અજંતાના તમામ ડિરેક્ટરોને આરોપી તરીકે જોડવા જોઈએ અને સૌથી મોટી વાત અજંતા દ્વારા સંચાલિત આ ઝુલતા પૂલ ની કેપેસિટી દર્શાવતા કોઈ રૂલ્સ કે ઓર્ડર હોય તો તેને કબજે લેવા જોઈએ અને આ કેસમાં ૩૦૨ ની કલમનો ઉમેરો કરવો જોઈએ તે પ્રકારની સુધારો કરવા થયેલ અરજી ડિસ્ટ્રીક કોર્ટે ના મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીઓ તરફે વકીલ તરીકે અનિલભાઈ દેસાઈ, રજનીબા રાણા, રૂપસિંહ પરમાર, એસ.આર.. ઝાલા અને હરેશભાઈ મહેતા રોકાયેલા છે તેમજ વિકટીમ એસો. દ્વારા કરવામાં આવેલ વિશેષ તપાસ માટેની અરજીની આવતીકાલે તા. ૧૪ ના રોજ મોરબીની ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે સુનાવણી રાખવામાં આવેલ છે






Latest News