ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા મોરબી મહાપાલિકાની ચુંટણીમાં પક્ષ-અપક્ષ સહિત 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા: બુધવારે ચિત્ર સ્પષ્ટ થશે મોરબીના શનાળા ગામ પાસે કારના સર્વિસ સ્ટેશનમાં આગ લાગતા દોડધામ
Breaking news
Morbi Today

વાંકાનેરના ધમલપરની ઘટના :પત્નીએ ઠપકો આપતા એસીડ પી જનાર વિજય માનસુરીયાનું સારવારમાં મોત


SHARE













વાંકાનેરના ધમલપરની ઘટના :પત્નીએ ઠપકો આપતા એસીડ પી જનાર વિજય માનસુરીયાનું સારવારમાં મોત
મૃતક વધુ પડતી ઉંઘની દવા પીતો હોય, પત્નીએ ના પાડતા ઝઘડો થયેલો, બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં કલ્પાંત
વાંકાનેરના ધમલપર-2 ગામે રહેતા વિજય દાનજી માનસુરીયા (ઉ.વ.35)એ તા.27/2ના રોજ એસીડની પી લીધું હતું.તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.અહી સારવારમાં તેમણે દમ તોડી દીધો હતો.બનાવની વિગત મુજબ મૃતકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, વિજયને ઉંઘની ગોળીઓ લેવાની આદત થઈ ગઈ હતી.તેમની પત્નીએ વધુ પડતી ઉંઘની દવા લેવાની ના પાડતા બંન્ને વચ્ચે ઝઘડો થયેલો જે પછી વિજયે પોતાના ઘરે જ એસીડ પી લીધુ હતું. 13 દિવસ લાંબી સારવાર બાદ ગઈકાલે વિજયે દમ તોડી દીધો હતો. વિજય મજુરી કામ કરતો તેને સંતાનમાં બે દીકરા છે. સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોક છવાયો હતો.





Latest News