મોરબીના ઘુંટુ રોડ પાસેથી ૨૪૦ બોટલ દારૂ ભરેલી રીક્ષા પકડાઇ, આરોપીઓની શોધખોળ ચાલુ મોરબી નજીક કારખાનામાંથી કોપર-એલ્યુમિનિયમ વાયરની ચોરીના ગુનામાં વધુ 2 આરોપી ની ધરપકડ  મોરબીના જેતપર ગામે ખેડૂતોના હક્ક માટે આમરણાંત આંદોલનનો આજે બીજો દિવસ: તંત્રની ઘોર બેદરકારી ! મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વીરાંગના રાણી લક્ષ્મીબાઈની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો મોરબી : બુઢા અમરનાથ સાહસિક યાત્રાનું આયોજન, જોડાવા અપીલ મોરબી શહેરના જુદાજુદા વિસ્તારમાં વરલી જુગારની 4 રેડ ટંકારાના લજાઈ ગામ પાસે વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક શોટ લગતા ત્રણ વર્ષના બાળકનું મોત વાંકાનેરના વીડી જાંબુડીયા નજીકથી 1.950 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ: 1.22 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ !


SHARE











વાંકાનેરમાં વહીવટદાર શાસનમાં પાલિકા દ્વારા કરાયેલ કામની ગુણવતા સામે ધારાસભ્યએ ઉઠાવ્યા સવાલ !

વાંકાનેર નગરપાલિકાને સુપરસિડ કરવામાં આવી છે અને હાલમાં વહીવટદાર શાસન ચાલી રહ્યું છે ત્યારે શહેરમાં સીસી અને પેવરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તે કામગીરી એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહી છે જો કે, રોડ ઉપર યોગ્ય લાઈન લેવલ જળવાતું ન હોવાની તેમજ અત્યંત નબળી કક્ષાની કામગીરી થતી હોવાનો આક્ષેપ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ  સોમાણી દ્વારા કરવામાં આવેલ છે

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ  સોમાણીએ ગત તા. ૭/૧૦/૨૩ નાં રોજ પાલિકાના વહીવટદારને પત્ર લખીને નબળી કક્ષાની કામગીરી થતી ધ્યાન દોર્યું હતું અને સીસી રોડની કામગીરી બંધ કરી આ કામગીરી ઓનલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયા કરી મજૂરી કામ કરાવવા તેમજ માલ સામાન પાલિકા દ્વારા ખરીદી કરી રોડના કામો કરાવવામાં આવે તો પાલિકાને આર્થિક ભારણ ન પડે અને કામની ગુણવતા જળવાઈ રહેશે તેવું સુચન કર્યું હતું તેમ છતાં કામગીરી અટકાવાઇ ન હતી. જેથી કરીને તા ૧૮/૧ ના રોજ મોરબી ખાતે કલેકટરની અધ્યક્ષતામાં યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં પણ સોમાણીએ કલેકટરને પત્ર લખીને વાંકાનેર પાલિકા દ્વારા વહીવટી શાસનમાં ચાલતા સીસી રોડની કામગીરી પૂરી થઈ ગઈ છે તેની ગુણવતા અત્યંત નબળી છે તેનું જણાવ્યુ હતું તેમ છતાં કોઇ જ પગલાં લેવાયા નથી !. અગાઉની સંકલન બેઠક વખતે તાજેતરમાં બદલી પામેલા કલેકટર હતા ત્યારે શું નિર્ણય તેમના દ્વારા લેવાયા હતા. તે ચેક કર્યા પછી વર્તમાન કલેકટર જણાવશે તેવું કહેલ છે વધુમાં ધારાસભ્યએ જણાવ્યુ છે કે, વાંકાનેરમાં વહીવટી શાસન પહેલા અને પછીના કામોને ચેક કરવામાં આવશે તો જમીન આસમાનનું અંતર તેમાં જોવા મળશે આ બાબતે યોગ્ય તપાસ કરી રિપોર્ટ કરવો જરૂરી છે 






Latest News