ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મારવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર


SHARE











મોરબીમાં યુવાનને મારવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર

મોરબીમા યુવાને આત્મહત્યા કરી હતી ત્યાર બાદ તેને મરવાર માટે મજબૂર કરવામાં આવે હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે આરોપી પૈકીનાં એક આરોપીના આગોતર જામીન માટે મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે

થોડ દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદી અનીલ કુંવરજીભાઈ ગોધવીયાએ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા રહે. મોરબી વાળાને ચાર આરોપીઓએ રૂપીયા ઉંચા વ્યાજે આપેલ હતા અને ફરિયાદીના ભાઈએ રૂપિયા આરોપીઓને ચુકવી દિધેલ હોવા છતા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં હતા અને આરોપી સંજય ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નિકળતા હતા તે રૂપિયા માંગતા સમયસર રૂપિયા નહી આપી માનસીક ત્રાસ આપી હેરાન કરવામાં આવેલ હતો અને ફરીયાદીના ભાઈને મરવા મજબુર કરતા રવિભાઈએ પોતાની જાતે મચ્છુ-3 ડેમમા કુંદકો મારીને આત્મહત્યા કરી હતી જે ફરિયાદ આધારે આઈ.પી.સી.ની કલમ ૩૦૬, ૫૦૬, ૧૧૪ તથા નાણાની ધીરધાર કરનાર અધીનીયમ ની કલમ ૫, ૩(૩૩), ૪૦, ૪૨ મુજબ સાત શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકીનાં આરોપી સંજયભાઈ રમેશભાઇ રાતડીયા ઉર્ફે સંજય ભરવાડ દ્રારા ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અન્વયે આરોપીના વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી અંબાણીની ધારદાર અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી અંબાણી વકીલ તરીકે રોકાયેલ હતા






Latest News