મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને મારવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર


SHARE







મોરબીમાં યુવાનને મારવા મજબૂર કરવાના ગુનામાં એક આરોપીના આગોતરા જામીન મંજૂર

મોરબીમા યુવાને આત્મહત્યા કરી હતી ત્યાર બાદ તેને મરવાર માટે મજબૂર કરવામાં આવે હોવાની ફરિયાદ નોંધાઈ હતી જે આરોપી પૈકીનાં એક આરોપીના આગોતર જામીન માટે મોરબીની ડીસ્ટ્રીક કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે

થોડ દિવસો પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદી અનીલ કુંવરજીભાઈ ગોધવીયાએ ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ભાઈ રવિભાઈ કુંવરજીભાઈ ગોધવીયા રહે. મોરબી વાળાને ચાર આરોપીઓએ રૂપીયા ઉંચા વ્યાજે આપેલ હતા અને ફરિયાદીના ભાઈએ રૂપિયા આરોપીઓને ચુકવી દિધેલ હોવા છતા ધાક ધમકી આપી પઠાણી ઉઘરાણી કરતાં હતા અને આરોપી સંજય ભરવાડ પાસેથી વેપાર ધંધાના રૂપિયા લેવાના નિકળતા હતા તે રૂપિયા માંગતા સમયસર રૂપિયા નહી આપી માનસીક ત્રાસ આપી હેરાન કરવામાં આવેલ હતો અને ફરીયાદીના ભાઈને મરવા મજબુર કરતા રવિભાઈએ પોતાની જાતે મચ્છુ-3 ડેમમા કુંદકો મારીને આત્મહત્યા કરી હતી જે ફરિયાદ આધારે આઈ.પી.સી.ની કલમ ૩૦૬, ૫૦૬, ૧૧૪ તથા નાણાની ધીરધાર કરનાર અધીનીયમ ની કલમ ૫, ૩(૩૩), ૪૦, ૪૨ મુજબ સાત શખ્સોની સામે ગુનો નોંધવામાં આવેલ છે અને તે પૈકીનાં આરોપી સંજયભાઈ રમેશભાઇ રાતડીયા ઉર્ફે સંજય ભરવાડ દ્રારા ડીસ્ટ્રીક કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જે અન્વયે આરોપીના વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી અંબાણીની ધારદાર અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવેલ છે આ કેસમાં આરોપી તરફે વકીલ જયદીપ બી. પાંચોટીયા અને ગીરીશ બી અંબાણી વકીલ તરીકે રોકાયેલ હતા






Latest News