મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ વહુએ સાસુને માર માર્યો..!


SHARE











મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ વહુએ સાસુને માર માર્યો..!

મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા આધેડ મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થવાથી અહિંની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને પોલીસે તપાસ કરતા સામે આવ્યું હતું કે, મહિલાને તેના દીકરાની વહુ દ્વારા માર મારવામાં આવ્યો હતો..! જેથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બાબતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં હેતલ ડેરી નજીક રહેતા મુમતાઝબેન હુસેનભાઇ ફકીર નામના ૫૦ વર્ષીય મહિલાને તેમના ઘરે મારામારીના બનાવમાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવ્યા હતા.હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ એ ડિવિઝનમાં જાણ કરાતા એ ડિવિઝન પોલીસ મથકના ઇન્વે.અધિકારી વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ કરી હતી. તેમાં સામે આવ્યું હતું કે મુમતાઝબેનના દીકરાની વહુ દ્વારા તેઓને માર મારવામાં આવ્યો હતો જેથી તેમને સામાન્ય પ્રકારની ઈજા તથા સારવારમાં લાવવામાં આવ્યા હતા.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ધરમપુર રોડ ઉપર આવેલા ભિમસર વિસ્તારમાં રહેતા સુરજ અમરશીભાઈ કુંઢીયા (ઉમર ૩૦) નામના દેવીપુજક યુવાનને તેના ઘર પાસે થયેલા મારામારીના બનાવમાં ઈજાઓ થતા સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો જ્યાંથી યાદી આવતા હાલ સીટી બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા મારામારીના બનાવ સંદર્ભે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મારામારીનો બીજો બનાવ મોરબીના વીસીપરા કુલીનગર વિસ્તારમાં બન્યો હતો જેમાં ત્યાં રહેતા દાઉદભાઈ ઉંમરભાઈ ઘાંચી નામના ૬૪ વર્ષના આધેડને મોડી રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ઘર પાસે થયેલ મારામારીના બનાવમાં ઇજા થતા તેઓને પણ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યાંથી યાદી આવતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના તે બીટ વિસ્તારના જમાદાર પ્રફુલભાઈ પરમાર દ્વારા મારામારીના કારણ અંગે આગળની તજવીજ શરૂ કરવામાં આવી છે.

ચક્કર આવતા ચાલુ બાઈકે પડી જતા ઇજા

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા વાંકાનેર તાલુકાના ઢુવા ગામે રહેતા હરેશભાઈ નટુભાઈ ગોલતર નામના ૨૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.પોલીસના જણાવ્યા પ્રમાણે ઇજાગ્રસ્ત હરેશ ગોલતર બાઈક લઈને ઢુવા ચોકડી પાસેના સર્વિસ રોડ ઉપરથી જતો હતો ત્યારે ચાલુ બાઈકે તેને ચક્કર આવતા પડી જવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને અત્રે સારવારમાં લાવવામાં આવ્યો હતો અને બનાવની હોસ્પિટલ ખાતેથી યાદી આવતા એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.પટેલે નોંધ કરીને તપાસ કરી હતી.આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકનો હોય આગળની તપાસ માટે ત્યાં જાણ કરવામાં આવી હતી.






Latest News