મોરબીની ઓમ શાંતિ વિદ્યાલયમાં શહીદ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો મોરબીની જીલોટ બોલ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં ઓઇલનું બેરલ વેડિંગ વડે કાપતા સમયે દાઝી ગયેલ મજૂરનું સારવાર દરમિયાન મોત  રાજ્ય મંત્રી અને મોરબીના લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે કામના કરનારા દેવતુલ્ય મતદારો-ટેકેદારોને મળવા માટે રેલી-સભાનું આયોજન મોરબી મહાપાલિકાની ચુંટણીમાં રાજકીય પક્ષોમાંથી મહિલાઓ નહીં બ્રહ્મ સમાજના પુરુષ આગેવાનોને જ ટિકિટ જોઈએ: આગેવાનોનો એક જ સૂર મોરબીમાં સગીરાની છેડતી કરનારને અભયમ ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો મોરબી જિલ્લાની ૯,૫૦૦ દીકરીઓને કેન્સરમુક્ત ભવિષ્ય આપવા વહીવટી તંત્ર સજ્જ; નિષ્ણાત તબીબોએ અફવાઓથી દૂર રહી રસી અપાવવા કરી અપીલ ગાંધીનગર ખાતે મંત્રી કમલેશભાઈ પટેલ હસ્તે મોરબી જિલ્લાના હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટ દીપ પટેલનું કરાયું  સન્માન ટંકારા ખાતે ૨૭ માર્ચે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન

મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી મોરબી ખાતે શનિ અને રવિવારે હાજર રહેવાના છે અને દર્દીઓને ચેક કરીમે માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ મોરબીના શ્રી વિશાશ્રીમાળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના આર્થિંક સહયોગથી ૧૮૬ મો કેન્સર નિદાન કેમ્પ યોજાયો

મોરબી તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર કેન્સર નિદાન કેમ્પ મોરબી ખાતે યોજાતા આવે છે આ કેમ્પ શ્રી વિશાશ્રી માળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ આયોજિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાય છે. આજે તા.૯ ના રોજ ૧૮૬ મો કેમ્પ યોજાયો હતો. જે તા.૧૦ ને રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. અને દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તરફથી તેમની સુપુત્રી નેહલબેન શાહના લગ્ન પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેન્સર નિદાન-સારવાર માટે મુંબઈના કેન્સરના નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવીએ કેન્સરના દર્દીઓને તા.૯ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૧૦ ને રવિવાર સવારે ૯ થી ૧૨ યોજાશે અને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને તેમના મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર અગાઉથી નોંધાવવાનું રહેશે. તેમજ તપાસ કરવા માટે આવો ત્યારે પોતાના જુના કેશ પેપર સાથે લાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ યાદીમાં જણાવ્યું હતું.






Latest News