ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન


SHARE











મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન

મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી મોરબી ખાતે શનિ અને રવિવારે હાજર રહેવાના છે અને દર્દીઓને ચેક કરીમે માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ મોરબીના શ્રી વિશાશ્રીમાળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના આર્થિંક સહયોગથી ૧૮૬ મો કેન્સર નિદાન કેમ્પ યોજાયો

મોરબી તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર કેન્સર નિદાન કેમ્પ મોરબી ખાતે યોજાતા આવે છે આ કેમ્પ શ્રી વિશાશ્રી માળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ આયોજિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાય છે. આજે તા.૯ ના રોજ ૧૮૬ મો કેમ્પ યોજાયો હતો. જે તા.૧૦ ને રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. અને દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તરફથી તેમની સુપુત્રી નેહલબેન શાહના લગ્ન પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેન્સર નિદાન-સારવાર માટે મુંબઈના કેન્સરના નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવીએ કેન્સરના દર્દીઓને તા.૯ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૧૦ ને રવિવાર સવારે ૯ થી ૧૨ યોજાશે અને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને તેમના મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર અગાઉથી નોંધાવવાનું રહેશે. તેમજ તપાસ કરવા માટે આવો ત્યારે પોતાના જુના કેશ પેપર સાથે લાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ યાદીમાં જણાવ્યું હતું.






Latest News