મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન


SHARE







મોરબીમાં આજે અને કાલે કેન્સરના દર્દીઓ માટે નિદાન કેમ્પનું આયોજન

મુંબઈના જાણીતા કેન્સર નિષ્ણાંત ડોક્ટર વિક્રમભાઈ સંઘવી મોરબી ખાતે શનિ અને રવિવારે હાજર રહેવાના છે અને દર્દીઓને ચેક કરીમે માર્ગદર્શન આપશે આ કાર્યક્રમ મોરબીના શ્રી વિશાશ્રીમાળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ દ્વારા દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરીના આર્થિંક સહયોગથી ૧૮૬ મો કેન્સર નિદાન કેમ્પ યોજાયો

મોરબી તેમજ આજુબાજુના ગામડાઓની જનતાને આશીર્વાદરૂપ ૧૯૮૯ થી દર બે માસે રેગ્યુલર કેન્સર નિદાન કેમ્પ મોરબી ખાતે યોજાતા આવે છે આ કેમ્પ શ્રી વિશાશ્રી માળી વર્ણીક જ્ઞાતિ સંચાલિત મહેતા કુટુંબ આયોજિત શ્રી ડી.સી.મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી ટ્રસ્ટ નવાડેલા રોડ, મોરબી ખાતે યોજાય છે. આજે તા.૯ ના રોજ ૧૮૬ મો કેમ્પ યોજાયો હતો. જે તા.૧૦ ને રવિવારે પણ ચાલુ રાખવામાં આવ્યો હતો. અને દાતા રૂપાબેન જગદીશભાઈ ઝવેરી તરફથી તેમની સુપુત્રી નેહલબેન શાહના લગ્ન પ્રસંગે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કેન્સર નિદાન-સારવાર માટે મુંબઈના કેન્સરના નિષ્ણાંત સર્જન ડો.વિક્રમભાઈ સંઘવીએ કેન્સરના દર્દીઓને તા.૯ ને શનિવાર સાંજે ૪ થી ૭ અને તા.૧૦ ને રવિવાર સવારે ૯ થી ૧૨ યોજાશે અને કેન્સર નિદાન કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાનું નામ ડિસ્પેન્સરીના મેનેજર મયુરભાઈને તેમના મોબાઈલ નંબર ૯૫૩૭૦ ૯૯૨૧૯ ઉપર અગાઉથી નોંધાવવાનું રહેશે. તેમજ તપાસ કરવા માટે આવો ત્યારે પોતાના જુના કેશ પેપર સાથે લાવવાના રહેશે તેમ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ભાવેશભાઈ શાહએ યાદીમાં જણાવ્યું હતું.






Latest News