મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત


SHARE











હળવદ નજીક ખેતરમાં ઠંડીમાં ઠૂઠવાઈ જવાથી આધેડનું મોત

હળવદમાં ખારી વાડી વાળા રસ્તા ઉપર ખેતરમાં ઠૂઠવાઈ જવાના કારણે આધેડનું મોત નીપજયું હતું જેથી કરીને તેને મૃતદેહને હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ મૃતકના સગા દ્વારા આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના હરીપુર ગામના રહેવાસી સુરેશભાઈ શંકરભાઈ ભીલ જાતિ આદિવાસી (૫૦) નામના આધેડ હળવદમાં ખારીવાડી વાળા રસ્તા ઉપર નીલકંઠ મહાદેવ મંદિર પાછળ અટુકભાઇ કાંકરેચાના હવાલા વાળા ખેતરમાં ઠંડીના કારણે ઠૂઠવાઈ ગયા હતા જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને શૈલેષભાઈ બાબુભાઈ ભીલ જાતે આદિવાસી (૩૭) રહે. હાલ રંગપર ગામે ઇવાનો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાં જેતપર રોડ મોરબી મૂળ રહે. છોટા ઉદેપુર વાળા હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની તેના દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માર માર્યો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં ત્રાજપર ચોકડી નજીક આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ઓમ રેસીડેન્સી ખાતે રહેતા માધુરીબેન અજયભાઈ (૪૯) નામના મહિલાને અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં મળતી માહિતી મુજબ શેરીમાં પાળેલા કૂતરાને માર મારવાની ઘટના પછી આ બનાવ બનેલ હતો તેવું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે






Latest News