ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!


SHARE











નાદારી નોધાવી છે કે શું ? : મોરબી પાલિકા પાસે લારી ન હોવાથી ગટરના કચરાનો નિકાલ કરવામાં વિલંબ.!


મોરબી પાલિકા દ્વારા જૂના મોરબીમાં જે ખુલ્લી ગટર આવેલ છે તેની સફાઈ તો સવારે કરાવવામાં આવે છે જો કે, ગટરની સફાઈ બાદ જે કચરો બહાર કાઢવામાં આવેલ હોય છે તે કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી જેથી કરીને લોકોને ગંદકી સહન કરવી પડે છે જેથી કરીને આ બાબતે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તો પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેથી કરીને તે વિસ્તારના એક જાગૃત નાગરિક દ્વારા પાલિકાના કોન્ટ્રાકટર સાથે ગટર સફાઈ બાબતે વાત કરવામાં આવી હતી તેનો વિડીયો હાલમાં સોશિઅલ મીડિયામાં વાયરલ થયેલ છે જેમાં કોન્ટ્રાકટરના કહેવા મુજબ કચરો ઉપાડવા માટેની લારીના અભાવ સવારે કાઢેલ કચરાને સાંજ સુધી ઉપડવામાં આવતો નથી તેવું કોન્ટ્રાકટર બોલે છે વધુમાં તેને એવું પણ કહ્યું હતું કે, તેની પાસે કચરાના નિકાલ માટે હાલમાં ૧૫ લારી છે અને તેઓને ૩૦ થી વધુ લારીની જરૂર છે જે અંગેની તેને પાલિકામાં રજૂઆત કરી જ છે પરંતુ લારી મળેલ નથી અત્રે ઉલેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી પાલિકાની તિજોરી સાફ છે તેવું કહેવામા આવી રહ્યું છે ત્યારે પાલિકાએ હવે સાવ નાદારી નોંધાવી દીધી હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે.






Latest News