મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ તેમજ યુ.એન.મહેતા આર્ટ્સ કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો


SHARE







મોરબીની પી.જી.પટેલ- યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં માતૃભાષા દિવસ ઉજવાયો

આજરોજ ૨૧ ફેબ્રુઆરી ના રોજ સર્વત્ર માતૃભાષા દિવસ ઉજવાઈ રહ્યોછે ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પણ પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટ ની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આવી જ રીતે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં પણ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કવિ સંમેલનનું યોજાયું હતું

ગુજરાતી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજ દ્વારા કોલેજ કેમ્પસ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબીના કવિ બિપીનચંદ્ર નિમાવત (બિપીન મધુર), રૂપેશ પરમાર (જલરૂપ), કવિ સંજય બાપોદરિયા (સંગી) હાજર રહ્યા હતા અને તેની કૃતિઓ રજૂ કરી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. આર.કે. વારોતરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મોરબીના સાહિત્ય પ્રેમીઓ તેમજ માતૃભાષામાં વિશેષ રૂચિ ધરાવતા શ્રોતાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આવી જ રીતે મોરબીની પી.જી. પટેલ કોલેજના વિધાર્થીઓએ પણ ગુજરાત સાહિત્ય પરિષદ-અમદાવાદ  દ્વારા જાહેર થયેલ અલગ અલગ પ્રતિષ્ઠિત વ્યક્તિઓના મંતવ્યો રજુ કરતા વિડીયો નિહાળ્યા હતા અને બાદમાં કોલેજના વરિષ્ઠ પ્રાધ્યાપક અનિલભાઈ કંસારાએ વિધાર્થીઓને માતૃભાષાના વૈભવ અને ગરિમાથી વાકેફ કાર્ય હતા તેમજ ગુજરાતી ભાષાના અભિન્ન અંગ એવા જોડણી, અલંકાર, રાગ દુહા છંદ અને વ્યાકરણ અંગે પણ રસપ્રદ અને હળવી શૈલીમાં છણાવટ દ્વારા વિધાર્થીઓને ગુજરાતી ભાષા અંગેનું સચોટ જ્ઞાન આપ્યું હતું.






Latest News