મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતા યુવાનને રિક્ષા ચાલકે માર માર્યો, પીછો કરીને શક્તિ ચેમ્બર પાસે પણ માર માર્યો : કોઇ ફરીયાદ નહીં..?!


SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતા યુવાનને રિક્ષા ચાલકે માર માર્યો, પીછો કરીને શક્તિ ચેમ્બર પાસે પણ માર માર્યો : કોઇ ફરીયાદ નહીં..?!

મોરબીના લખધીરપુર રોડ ઉપરથી બાઈક લઈને જતા યુવાન સાથે કોઈ વાતે ઝઘડો કરીને અજાણ્યા રીક્ષા ચાલક દ્વારા માર મારવામાં આવ્યો હતો અને બાદમાં પીછો કરીને વાંકાનેર હાઇવે ઉપર આવેલ શક્તિ ચેમ્બર નજીક પણ યુવાનને અટકાવીને માર મારવામાં આવ્યો હતો.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ ઓમ પાર્ક વિસ્તારમાં નાની કેનાલ નજીક મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા જયેશભાઈ રઘુભાઈ છનિયારા પટેલ (૩૯) નામના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. તે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા મોનાર્ક સીરામીકથી બાઈક લઈને પરત ઘર તરફ જતો હતો ત્યારે લખધીરપુર રોડ ઉપર આવેલા લીવા સિરામિક નજીક અજાણ્યા રીક્ષા ચાલક સાથે કોઈ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો.જેમાં અજાણ્યા રીક્ષા ચાલકે તેને પ્રથમ લખધીરપુર રોડ ઉપર માર માર્યો હતો અને બાદમાં પોતે બાઇક લઈને આગળ નીકળી જતા વાંકાનેર હાઇવે શક્તિ ચેમ્બર સુધી રીક્ષા ચાલકે પીછો કરીને ત્યાં અટકાવીને તેને પુનઃ ત્યાં માર માર્યો હતો જેથી જયેશ પટેલને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો અને આ બાબતે તાલુકા પોલીસ મથકમાં જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા નોંધ કરીને મારામારી સંદર્ભે આગળની તપાસ હાથ ધરાઈ હતી.અત્રે નોંધનીય છે કે મોરબીમાં છાસવારે આવા મારામારીના બનાવ બને છે અને અનેક વખત આવા પ્રકારની મારામારીમાં પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવતી ન હોય અને બાદમાં મોટી ઘટનાઓ પણ બની જતી હોય તેવા બનાવો અગાઉ બની ચૂક્યા છે માટે કડકપણે મારામારી કરતા આવા ઈસમોને પકડીને કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના નવલખી રોડ રણછોડનગર વિસ્તારમાં રહેતા રાજાભાઈ પ્રમોદભાઈ ચોરસીયા નામના ૨૦ વર્ષના યુવાનને મોરબીના ગોર ખીજડીયા ગામ તરફ જવાના રસ્તે હાજીપીર દરગાહ નજીક અજાણ્યા ઈસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો મોડી રાત્રીના તેઓ ઉપર થયેલા હુમલાના બનાવમાં ઇજા પામતા તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.

યુવાન સારવારમાં

મોરબીના દરબારગઢ વિસ્તારમાં રહેતા ભાવેશ દેવજીભાઈ કક્કડ નામના ૩૨ વર્ષના યુવાનને ઇજા પામેલા હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલએ લઈ જવામાં આવ્યો હતો આ બાબતે વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે દરબારગઢ પાસે રહેતા ભાવેશ દેવજીભાઈ કક્કડ નામના યુવાનને વીસી ફાટક પાસે આવેલ તાલુકા શાળા નજીક ચાર-પાંચ લોકો દ્વારા કોઈ બાબતે થયેલ બોલાચાલી ઝઘડા બાદ માર માર્યો હોવાથી સારવારમાં ખસેડાયો હતો જે બાબતે નોંધ થતા એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ નોંધ કરી તપાસ હાથ ધરી હતી.

મહિલા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ ૨૫ વારીયા વિસ્તારમાં રહેતી ઝરીનાબેન હનિફભાઈ ફકીર નામની ૨૫ વર્ષીય મહિલા તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયા હતા જેથી તેઓને સરકારી હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા.આ બાબતે સીટી એ ડિવિઝન પોલીસમાં જાણ કરાતા સ્ટાફના એચ.એમ.ચાવડાએ નોંધ કરી તપાસ કરી હતી






Latest News