મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા આવવાની બાબતે મારામારી: ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં


SHARE







મોરબીના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા આવવાની બાબતે મારામારી: ત્રણ વ્યક્તિને ઇજા થતાં સારવારમાં

મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે વાડીમાં રોજડા કાઢતા બાજુની વાડીમાં આવ્યા છે તેવું સમજીને મારા મરીનો બનાવ બનેલ હતો જેથી ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થયેલ હતી અને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે રહેતા પપ્પુ કાળુભાઈ નીનામા (૨૨) અને ટેટુભાઈ વસુભાઈ અજનાર (૫૦) ને ભરતભાઈની વાડીએ હતા ત્યારે ત્યાં મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ જે.બી. પરમાર ચલાવી રહ્યા છે આવી જ રીતે મોરબી તાલુકાના હરીપર કેરાળા ગામે અશ્વિનભાઈની વાડીએ મારામારીના બનાવમાં દુદાભાઈ બાબુભાઈ રાજપૂત (૩૫) નામના યુવાનને ઇજા હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી તરીકે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે ત્યારે તેઓની સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ છેકે, બંને પક્ષના લોકો બાજુ બાજુની વાડીમાં રહે છે અન વાદીમાંથી રોજડાને કાઢવામાં આવતા બાજુની વાડીમાં આવ્યા છે તેવું સમજીને આ મારા મારીનો બનાવ બનેલ હતો

ઝેરી દવા પીધી

મોરબી તાલુકાના જેતપર ગામે જીઇબી પાસે રહેતા સંજયભાઈ ગોપાલભાઈ હમીરપરા (૩૫) નામના યુવાને કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે જેતપરના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ વિજયભાઈ ચલાવી રહ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે દશામાના મંદિર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં નાની વાવડી ગામે રહેતા રાજેશભાઈ વેલજીભાઈ સોલંકી (૩૦) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુ તપાસ એસ.વી. સોલંકી ચલાવી રહ્યા છે






Latest News