ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો


SHARE











વાંકાનેરના કલાવડી પાસે ખેતરમાં માલઢોર ચરાવવાની ના કહેતા આધેડ ઉપર હુમલો

વાંકાનેર તાલુકાના કલાવડી ના બોર્ડ નજીક ખેતરમાં માલ ઢોર ચરાવવાની આધેડે ના પાડતા તે સારું નહીં લાગતા એક શખ્સ દ્વારા લાકડી વડે આધેડને માર મારવામાં આવ્યો હતો અને જાનથી  મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી કરીને ભોગ બનેલા આધેડે સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે તેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામે રહેતા અબ્દુલરહીમ અહમદભાઈ શેરસીયા જાતે મોમીન (૫૧)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કૈલાશ લીલાભાઈ સરૈયા રહે. ખીજડીયા તાલુકો વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે કાલાવડીનું બોર્ડ નૂર ઇન્ડસ્ટ્રીઝ પાસે ફરિયાદીએ આરોપીને પોતાના માલ ઢોર ખેતરમાં ચરાવવાની ના પાડી હતી જે તેને સારું નહીં લાગતા તેણે લાકડી વડે હુમલો કરીને આધેડને માર માર્યો હતો અને હાથમાં ફ્રેકચર કરીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News