ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

વાંકાનેરના શાંતિનગર-સહકારી મંડળી વાળી શેરીમાં ભૂગર્ભ, પાણી અને રોડના પ્રશ્નો ન ઉકેલાઈ તો આત્મવિલોપન: લોકોની ચીમકી


SHARE











વાંકાનેરના શાંતિનગર-સહકારી મંડળી વાળી શેરીમાં ભૂગર્ભ, પાણી અને રોડના પ્રશ્નો ન ઉકેલાઈ તો આત્મવિલોપન: લોકોની ચીમકી

વાંકાનેરમાં મીલપ્લોટ વિસ્તારમાં આવેલ શાંતિનગર તથા સહકારી મંડળી વાળી શેરીમાં ભુગર્ભ ગટર ભરાઈ ગયેલ છે તેમજ પાણીની લાઇન ઘણી બધી જગ્યાએ લીકેજ છે અને ભુગર્ભ ગટરનું કામ કરવા માટે રોડનુ ખોદકામ કરેલ હતું ત્યાર બાદ રોડ બનાવેલ નથી જેથી લોકો હેરાન થઈ રહ્યા છે

હાલમાં શાંતિનગર તથા સહકારી મંડળી વાળી શેરીના લોકોએ હાલમાં ચીફ ઓફિસર અને વહીવટદારને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સહકારી મંડળી તથા શાંતિનગર વિસ્તારમાં ભુગર્ભ ગટર ભરાઈ ગયેલ છે જેથી કરીને ભુગર્ભ ગટરના પાણી રસ્તા ઉપર વહે છે અને લોકોને ગંદકીમાંથી પસાર થવું પડે છે અને કેટલાક લોકોના ઘરમાં ગટરના પાણી ઘુસે તેમ છે જેથી કરીને ભુગર્ભ ગટરની સમસ્યાને તાત્કાલિક ઉકેલવામાં આવે તેવી માંગ કરી છે તેમજ સહકારી મંડળીવાળી શેરી તથા શાંતિનગર વિસ્તારમાં અનેક જગ્યાએ પાણીની પાઇપ લાઇનમાં લીકેજ છે જેથી કરીને ગટરનું પાણી પાણીની લાઇનમાં ભળી રહ્યુ છે અને લોકોને ગંદુ પાણી પાઇપ લાઇન મારફતે આપવામાં આવે છે જેથી કરીને રોગચાળો ફાટી નિકળે તેવી દહેશત છે આ ઉપરાંત આ વિસ્તારમાં ભુગર્ભ ગટર યોજનાના કામ માટે રોડને ખોદવામાં આવેલ હતો જો કે પછી તે રોડનું કામ પાંચ વર્ષમાં કરવામાં આવ્યું નથી જેથી કરીને ખરાબ રોડના લીધે ત્યાં કોઈ જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી નગરપાલિકાની રહેશે અને હાલમાં જે માંગણીઓ કરવામાં આવેલ છે તે આગામીઉ ૧૫ દિવસમાં પૂરી નહીં કરવામાં આવે તો આગામી સમયમાં આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News