મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબી નજીકથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં જેલ હવાલે કરાયેલા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબી નજીકથી પકડાયેલ મેફેડ્રોન ડ્રગ્સના ગુનામાં જેલ હવાલે કરાયેલા આરોપીના શરતી જામીન મંજૂર

મોરબી નજીકથી મેફેડ્રોન ડ્રગ્સ પકડવામાં આવ્યું હતું જે ગુનામાં પકડાયેલા આરોપીએ ચાર્જ શીટ પછી હાઇકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલે કરેલ દલીલોને ધ્યાને રાખીને આરોપીના શરતોને આધીન જામીન મંજૂર કરેલ છે

મોરબી તાલુકા પોલીસે ૬૪.૨૦ ગ્રામ મેફેડ્રોન પાવડર સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બ્લોચના પ્રત્યક્ષ કબજામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૬૪.૨૦ ગ્રામ કબજે કર્યું હતું અને તે આરોપી રજાક ઉર્ફે લાલો આમદભાઈ પરમાર રહે. માધાપર ૧૪ વાળા બંન્ને ગેરકાયદેસર માદક પદાર્થ પાવડર પોતાના કબજામાં રાખી અવાર નવાર મોરબી વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલ દરીયાલાલ હોટલ નજીક ગ્રાહકોને વેચાણ કરવા જાય છે અને આજ રોજ તે એક નંબર વગરના હોન્ડા સાઈન મોટર સાયકલ લઈ હકીકત વાળા સ્થળે પોતાના કબજામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ પાવડર લઈ જનાર છે તેથી ચોકકસ હક્કિત આધારે રેડ કરી હતી ત્યારે આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફારભાઈ બ્લોચના પ્રત્યક્ષ કબજામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૬૪.૨૦ ગ્રામ મળી આવ્યું હતું અને બંન્ને ઈશમોને તા.૨૮/૬/૨૩ ના રોજ પકડવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બંને આરોપી ઉપરાંત જુનેદ હનીફભાઈ પરમાર એમ ત્રણ શખ્સોની સામે એસઓજીના પીએસઆઈ મહમદ અસ્લમ સૌકતઅલી અંસારીએ એન.ડી.પી.એસ. એકટની કલમ ૮ (સી), ૨૧ (સી) ૨૯ મુજબ ફરિયાદ નોંધાવેલ હતી ત્યારબાદ આરોપી જુનેદ હનીફભાઈ પરમારની તા. ૨૯/૯/૨૩ ના રોજ ધરપકડ કરી હતી અને તેને સેશન્સ કોર્ટમાં રજુ કરીને ૭ દિવસના રીમાન્ડ મંગયા હતા જો કે, કોર્ટે આરોપીના તા.૩/૭/૨૩ સુધીના રિમાન્ડ આપેલ હતા રિમાન્ડ પૂરા થતાં આરોપીને કોર્ટમાં રજુ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યારબાદ આરોપીએ ચાર્જશીટ દાખલ હતી ત્યાર બાદ આરોપીએ હાઈકોર્ટમાંથી જામીન માટે અરજી કરી હતી જેમાં હાઈકોર્ટે શરતોને આધીન ૧૫,૦૦૦ ના જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપી જુનેદ હનીફભાઈ પરમારના વકીલ તરીકે વીરાટ જી. પોપટ, શ્વેતા લોઢા, ગોપાલભાઈ ઓઝા તથા મેનાઝ એ.પરમાર રોકાયેલા હતા.






Latest News