મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

મોરબીના બગથળા-નાની વાવડી વચ્ચે મંદિર પાસે પરિણીત પ્રેમી પંખીડાઓએ વિશપાન કરી કર્યુ અગ્નિસ્નાન : મહિલાનું મોત-યુવાન સારવારમાં


SHARE











મોરબીના બગથળા-નાની વાવડી વચ્ચે મંદિર પાસે પરિણીત પ્રેમી પંખીડાઓએ વિશપાન કરી કર્યુ અગ્નિસ્નાન : મહિલાનું મોત-યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નાની વાવડી અને બગથળા ગામની વચ્ચે આવેલા હનુમાન મંદિર પાસે આજે સાંજે પરિણીત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પી લીધી હતી અને ઝેરી દવા પી લીધા બાદ પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરવામાં આવ્યું હતું.જે બનાવની અંદર ભડીયાદ ગામની પરણીતાનું મોત નીપજેલ છે અને ભડીયાદ ગામે જ રહેતા યુવાનને હાલ સારવારમાં ખસેડાયો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

આ ગોજારા બનાવની સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની વાવડી ગામથી બગથળા જતા રસ્તે આવેલા હનુમાન મંદિર પાસે આજે તા.૧૧ ના સાંજના છએક વાગ્યાના અરસામાં અજુગતો બનાવ બન્યો હતો.જેમાં મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ ગામે રહેતી સંગીતાબેન દેવજીભાઈ પરમાર (ઉમર ૨૯) અને હાલ ભડીયાદ ગામે જ રહેતા અને મિનરલ વોટરમાં કામકાજ કરતા જ્યોતીન્દ્ર રજનીકાંત નાગર (ઉમર ૨૪) નામના બે પરિણીત પ્રેમી પંખીડાઓએ પ્રેમાંધ થઈને મોરબીના નાની વાવડી ગામ પાસે આવેલ હનુમાન મંદિર ખાતે પહેલા ઝેરી દવા પી લીધી હતી અને બાદમાં બંને દ્રારા પેટ્રોલ છાંટીને અગ્નિસ્નાન કરવામાં આવ્યું હતું.જેથી આ બનાવની અંદર સંગીતાબેન દેવજીભાઈ પરમાર (૨૯) રહે.ભડીયાદ નામની પરણીતાનું મોત નીપજતા તેના ડેડબોડીને પીએમ માટે અત્રીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યું હતું.તેમજ તેની સાથે રહેલા જ્યોતિન્દ્ર રજનીકાંત નાગરને પણ હાલ સારવાર માટે અત્રેની સરકારી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો. હાલમાં આ બનાવ સંદર્ભે સરકારી હોસ્પિટલ ખાતેથી મોરબી તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવેલ હોય પોલીસ દ્રારા આગળની તપાહોવાનું જાણવા મળેલ છે. મૃતક પરિણીતા એક સંતાનની માતા હોવાનું સામે આવ્યું છે.






Latest News