મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

જ્ઞાન જ્યોતિ પર્વ-આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ બાઇક યાત્રા ટંકારા પહોંચી


SHARE







જ્ઞાન જ્યોતિ પર્વ-આર્ય વીર દળ દિલ્હીની જ્ઞાન જ્યોતિ મશાલ બાઇક યાત્રા ટંકારા પહોંચી

આર્ય વીર દળ દિલ્હી પ્રદેશ દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦ મી જન્મ જયંતિ-જ્ઞાન જ્યોતિ પર્વ નિમિત્તે એક વિશાળ જ્ઞાન જ્યોતિ મશાલ મોટરસાઈકલ યાત્રા ૬ ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી આયોજન કરવામાં આવ્યું હતું અને તા ૯ ના રોજ બપોરે ૩ વાગ્યે આ યાત્રા ટંકારા પહોંચી હતી. ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયા, આર્ય સમાજના રાષ્ટ્રીય પ્રવક્તા વિનય આર્ય દ્વારા ઉત્સાહી બાઇકર્સનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ યાત્રાની મશાલ એ જ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રગટાવી હતી આ ભવ્ય યાત્રા કાર્યક્રમમાં આર્ય સમાજની યુવા વિંગ આર્ય વીર દળ, યુનિવર્સલ આર્ય વીર દળ અને દિલ્હી આર્ય પ્રતિનિધિ સભા અને આર્ય સાહિત્ય પ્રચાર ટ્રસ્ટના પ્રાંતીય એકમના સહયોગથી ૨૦૦ થી વધુ આર્ય વીર મોટરસાઈકલ, કાર, પ્રચાર વાહનો, ટેમ્પો અને અન્ય વાહનો દ્વારા "જ્ઞાન જ્યોતિ મશાલ યાત્રા" ના સ્વરૂપમાં દિલ્હી થી ટંકારા, ગુજરાત પહોંચી હતી






Latest News